મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં પી.જી.વી.સી.એલ. દ્વારા વીજ સલામતી-બચત માટે જાગૃતિ રેલી યોજાઇ


SHARE















મોરબીમાં પી.જી.વી.સી.એલ. દ્વારા વીજ સલામતી-બચત માટે જાગૃતિ રેલી યોજાઇ

મોરબીમાં પી.જી.વી.સી.એલ. દ્વારા વિવિધ જનજાગૃતિલક્ષી કાર્યક્રમો યોજીને ઉર્જા બચત સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોકડ્રિલફીડરોની ચકાસણીવીજ સલામતીની પ્રતિજ્ઞાઉર્જા બચત રેલીશાળાઓમાં નિબંધ અને ચિત્ર સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજીને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના ભાગરૂપે ઉર્જા બચત સપ્તાહની ઉજવણી અંતર્ગત વીજ કચેરી દ્વારા જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી

મોરબીમાં પી.જી.વી.એલ. દ્વારા ડીસેમ્બર-૨૦૨૩ ઊર્જા બચત માસ પર્વની ઉજવણી અંતર્ગત ઊર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઊર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા તા ૧૧/૧૨ થી ૧૬/૧૨ સુધી ઊર્જા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે દરમ્યાન મોરબીમાં પીજીવીસીએલ કચેરીથી વીજ સલામતી અને વીજ બચત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધિક્ષક ઇજનેર એસ.એચ. રાઠોડ સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને વીજ સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ રેલી પાવર હાઉસ કમ્પાઉન્ડથી શરૂ કરવામાં આવી હતી ત્યાર બાદ ગેંડા સર્કલ, મયુર પુલ, નગર દરવાજા, રવાપર રોડ, નવા બસ સ્ટેન્ડ, ઉમિયા સર્કલ અને ભક્તિનગર સર્કલ ખાતે પૂરી કરવામાં આવી હતી આ રેલી થકી લોકોને સોલાર કુકરસોલાર હિટરઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવી તેમજ વીજળીનો બિનજરૂરી ઉપયોગ ટાળી વીજળી બચાવવા સંદેશો આપ્યો હતો.






Latest News