મોરબીના તાહેર લાકડાવાલાએ આર્જેન્ટીનામાં યોજાયેલ મેરેથોનમાં પ્રથમ સ્થાન મેળવ્યું
મોરબીમાં પાણીના એરવાલ્વમાં થયેલ લીકેજને રીપેર કરીને પાણીનો બગાડ અટકાવ્યો
SHARE
મોરબીમાં પાણીના એરવાલ્વમાં થયેલ લીકેજને રીપેર કરીને પાણીનો બગાડ અટકાવ્યો
મોરબી શહેરમાં ખાખરેચી દરવાજા બાજુથી સામાકાંઠા વિસ્તારમાં જવા માટે મચ્છુ નદીમાં બેઠો પુલ બનાવવામાં આવ્યો છે તે બેઠા પુલના મહેન્દ્ર ડ્રાઇવ રોડની નીચેના ભાગમાંથી નગર પાલિકાની પાણી સપ્લાયની મેઇન પાઇપલાઇન પસાર થાય છે અને આ પાઇપ લાઇનનો જે એરવાલ્વ ત્યાં મૂકવામાં આવ્યો છે તે એરવાલ્વ શુક્રવારે વહેલી સવારે કોઈ પણ કારણોસર તૂટી ગયો હતો જેથી કરીને પાણીની સપ્લાય દરમિયાન પાણીનો ત્યાં વેડફાટ થતો હતો જોકે મોરબીના જાગૃત નાગરિક દ્વારા આ અંગેની પાલિકાના જવાબદાર વિભાગના કર્મચારીને અને કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવતા તુર્ત જ પાણીનો બગાડ રોકવા માટે થઈને ત્યાં કામગીરી શરૂ કરવામાં આવી હતી અને સાંજ સુધીમાં જ્યાં એરવાલ તૂટી ગયો હતો ત્યાં યોગ્ય સમારકામ અને રીપેરીંગ કામ પૂર્ણ કરીને પાણીનો વેડફાટ થતો અટકાવવામાં આવ્યો હતો