મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીના કાલે ઝાલાવાડ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સ્નેહમિલન-વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે


SHARE







મોરબીના કાલે ઝાલાવાડ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સ્નેહમિલન-વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ કેશવ પાર્ટી લોન્સ ખાતે ઝાલાવાડ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા ૨૧ માં સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે સાથે  વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે તેને ઇનામ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સામાજિક અને રાજકીય આગેવાનો સહિતના લોકો હાજર રહેવાના છે ત્યારે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા સમાજના તમામ લોકોને હાજર રહેવા માટે થઈને આમંત્રણ આપવામાં આવ્યું છે

ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ મોરબીના પ્રમુખ પ્રકાશભાઈ કેશવજીભાઈ કાચરોલાએ માહિતી આપતા જણાવ્યુ છે કે, આવતીકાલે તા. ૧૭ ને રવિવારે સાંજે ૪:૩૦ કલાકે મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ કેશવ પાર્ટી લોન્સ ખાતે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ મોરબી દ્વારા ૨૧ મા સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથો સાથ વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે થઈને ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે તેની સાથે ત્યાં વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવનાર છે ત્યારે આ કાર્યક્રમમાં સમારંભના મુખ્ય અધ્યક્ષ તરીકે જીવરાજભાઈ નાગજીભાઈ ફુલતરીયા (તીર્થક પેપર મીલ) હાજર રહેશે તે ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે રાજ્યના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણભાઈ બચુભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહેવાના છે ત્યારે મોરબીમાં રહેતા ઝાલાવાડ કડવા પાટીદાર સમાજના લોકોને સહપરિવાર સમયસર કાર્યક્રમમાં હાજર રહેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે






Latest News