હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે ચામુંડા માતાજીના મઢ ખાતે બદ્રકિયા પરિવાર દ્વારા નવચંડી હવનનું આયોજન


SHARE













મોરબીના રાજપર ગામે ચામુંડા માતાજીના મઢ ખાતે બદ્રકિયા પરિવાર દ્વારા નવચંડી હવનનું આયોજન

મોરબી નજીકના રાજપર ગામે આવેલ ચામુંડા માતાજીના મઢ ખાતે બદ્રકિયા પરિવાર દ્વારા ચામુંડા માતાજીનો નવચંડી હવન રાખવામાં આવ્યો છે અને આગામી તા. ૨૦ ને બુધવારના રોજ આ કાર્યક્રમ યોજાશે જેમાં સમસ્ત ગુર્જર સુથાર બદ્રકિયા પરિવારના લોકોને હાજર રહેવા તેમજ દર્શન અને પ્રસાદનો લાભ લેવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

મોરબી નજીકના રાજપર ગામે બદ્રકિયા પરિવારના ચામુંડા માતાજીનો મઢ આવેલ છે અને ત્યાં ચામુંડા માતાજીના નવચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તા. ૨૦ ના રોજ બુધવારે સવારે ૬:૩૦ વાગ્યે ગણેશ પૂજન, ૭:૩૦ વાગ્તે હવન પૂજન અને બપોરે ૧:૦૦ વાગ્યે હવનમાં શ્રીફળ હોમવામાં આવશે અને ત્યારબાદ બપોરે ૧:૩૦ વાગ્યે રાજપર ગામે આવેલ હનુમાનજી મંદિર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાપ્રસાદના મુખ્ય દાતા સ્વ. ઓધવજીભાઈ કલ્યાણજીભાઈ બદ્રકિયા હસ્તે કાંતિલાલ ઓધવજીભાઈ બદ્રકિયા છે તેમજ યજ્ઞ કુંડ ઉપર યજમાન તરીકે જેન્તીભાઈ દેવજીભાઈ બદ્રકિયા, મહેશભાઈ અમૃતલાલ બદ્રકિયા અને નંદકિશોર લાલજીભાઈ બદ્રકિયા બેસવાના છે વધુમાં આયોજકોએ જણાવ્યું છે કે સમસ્ત ગુર્જર સુતાર બદ્રકિયા પરિવારના ધો. ૧ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તેને ઇનામ વિતરણ કરવાનું અને સન્માનીત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે થઈને તમામ પરિવારના બાળકોના માર્કશીટ તા. ૧/૨/૨૪ થી ૧/૫/૨૪ સુધીમાં મોકલાવી આપવાના રહેશે તેઓ બદ્રકિયા પરિવાર ટ્રસ્ટ રાજપર વતી હિંમતલાલ પ્રેમજીભાઈ બદ્રકિયાએ માહિતી આપતા જણાવેલ છે






Latest News