સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મોરબીના વિવેકભાઈ શુકલનું કરાયું સન્માન
મોરબીના જલારામ મંદિરે દરિયાલાલ ઉત્સવ સમિતીનું વિસ્તરણ અને ૨૧ સભ્યોની કમિટીની રચના માટે મિટિંગ યોજાશે
SHARE
મોરબીના જલારામ મંદિરે દરિયાલાલ ઉત્સવ સમિતીનું વિસ્તરણ અને ૨૧ સભ્યોની કમિટીની રચના માટે મિટિંગ યોજાશે
મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં વાઘરવા ગામે શ્રી દરિયાલાલ દાદા મંદિરનું મંદિર આવેલ છે ત્યાં દર મહિનાની સુદ બીજની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે જેના માટે દરિયાલાલ ઉત્સવ સમિતીની રચના કરેલ છે. જોકે, તેનું વિસ્તરણ કરીને હવે ૨૧ સભ્યોની કમિટીની રચના કરવાનું નકિક કરેલ છે જેના માટે મોરબીના જલારામ મંદિરે આગામી રવિવારે મિટિંગ રાખવામા આવેલ છે
બુટેશ્વરી માતાજી તથા દરિયાલાલ દાદાનું કૃપાથી વાધરવા મુકામે દર મહિનાની સુદ બીજની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અને બીજની ઉજવણી તથા ભોજન પ્રસાદની વ્યવસ્થા માટે દરિયાલાલ ઉત્સવ સમિતીની રચના કરેલ છે. જેનું વિસ્તરણ કરીને ૨૧ સભ્યોની કમિટીની રચના કરવાનું નકિક કરેલ છે. અને આ માટેની મિટીંગ આગામી તા.ર૪/૧૨ ને રવિવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ જલારામ પ્રાર્થના મંદિર ખાતે રાખવામા આવેલ છે આ મિટીંગમાં ૨૧ સભ્યોની નિમણુંક કરી શ્રી દરિયાલાલ ઉત્સવ સમિતીનું વિસ્તરણ કરવું, બુટેશ્વરી માતાજી તથા દરિયાલાલ દાદાના મંદિરમાં જરૂરી વિકાસના કાર્યો કરવા, દર માસે બીજની ઉજવણી તથા ભોજન પ્રસાદ માટે યોગ્ય વ્યવસ્થા કરવી, વાધરવા ખાતે આવેલ ધર્મશાળાનું યોગ્ય રીનોવેશન કરી ભોજનની તથા રહેવાની વ્યવસ્થા કરવી જેથી બહારગામથી આવતા લોકોને સગવડતા મળી રહે તે માટેના મુખ્ય એજન્ડા રાખવામા આવેલ છે જેથી કરીને આ તકે બહોળી સંખ્યામાં સમાજના લોકોને હાજરી આપવા માટે જલારામ પ્રાર્થના મંદિર અને દરિયાલાલ ઉત્સવ સમિતીના હોદેદારો અને આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવેલ છે અને મિટીંગ પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે