મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો
Breaking news
Morbi Today

મોરબીની રફાળેશ્વર જીઆઇડીસીમાં કારખાનાની છત ઉપરથી નીચે પડતા ઇજા પામેલ બાળક સારવારમાં


SHARE













મોરબીની રફાળેશ્વર જીઆઇડીસીમાં કારખાનાની છત ઉપરથી નીચે પડતા ઇજા પામેલ બાળક સારવારમાં

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસીમાં કારખાનામાં છત ઉપરથી નીચે પટકાતા ત્રણ વર્ષના બાળકને ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે જીઆઇડીસીમાં આવેલ ઇલોરા પેકેજીંગમાં રહેતા અને મજૂરી કામ કરતા જીતેન્દ્રભાઈ પાલનો ત્રણ વર્ષનું બાળક ઇવ પાલ છત ઉપરથી નીચે પટકાતા તેને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગરમાં રહેતા વજીબેન શિવાભાઈ ઝિંઝવાડીયા (૫૬) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા મિલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈકના વ્હીલમાં પગ આવી ગયો હતો જેથી કરીને વજીબેનને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મયુરકુમાર હરખજીભાઈ માલણીયા (૨૫) રહે. જેપુર વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મનીષભાઈ બારૈયા દ્વારા કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના પાનેલી ગામે રહેતા રાજુભાઈ કાંતિભાઈ ભીલ (૨૮) નામનો યુવાન મોરબીથી વાંકાનેર તરફ જવાના રસ્તા ઉપર આવેલ પ્રેમજીનગર ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મહેશભાઈ કહાંગરા દ્વારા કરવામાં આવી હતી






Latest News