મોરબી એલ.ઈ.કોલેજના પ્રોફેસર લિખિત રિન્યુએબલ એનર્જીનું પુસ્તકનું વિમોચન કરાયું
મોરબીની ચિત્રાનગર સહિતની સોસાયટીમાં અક્ષત કળશનુ ભવ્ય સ્વાગત કરાયું
SHARE
મોરબીની ચિત્રાનગર સહિતની સોસાયટીમાં અક્ષત કળશનુ ભવ્ય સ્વાગત કરાયું
અયોધ્યાથી આવેલ રામજન્મભૂમિના પુજીત અક્ષતના કળશનુ મોરબીના શનાળા રોડ ચિત્રાનગર સોસાયટી, ભરતનગર ૧ અને ૨ તથા પટેલનગર, રામનગર, વૈભવનગર, શિવમ સોસાયટી ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને શનાળા રોડે આવેલ ચિત્રા હનુમાનજી મંદિરે અક્ષત કળશનુ પુજન ચિત્રા હનુમાનજી મંદિરના પુજારી તથા મહિલા અને બાળાઓ દ્વારા કરવામાં આવ્યું હતુ અને નાની બાળાના શીર પર આ કુંભ લઈ તમામ સોસાયટીમાં તબલાના તાલ અને રાશ કીર્તન સાથે ભાવથી ફેરવવામાં આવ્યો હતો ત્યારે તમામ સોસાયટીની મહિલાઓ અને પુરુષો સૌ સાથે ભગવાન શ્રી રામજીના રાસ ઝીલણીયા ગાતા ગાતા નાચતા નાચતા ભાવ સાથે તમામ સોસાયટીમાં ફર્યા હતા. આ કાર્યક્રમમાં વોર્ડ નં ૯ ના પુર્વ કાઉન્સિલર જયંતિભાઈ વિડજા, આરઆરએસના કાર્યકર હસુભાઈ અઘારા, ચિત્રા હનુમાનજી ધુન મંડળના પ્રમુખ ટી.સી. ફુલતરિયા, ચંદુભાઈ કડીવાર અને તમામ સોસાયટીના ભાઈઓ-બહેનોએ હાજરી આપી આ કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે કરવામાં આવ્યો હતો તેમ ત્રિભોવનભાઈ ફુલતરિયાએ જણાવ્યુ હતું