મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના નકલી ટોલનાકાના ગુનામાં આરોપીને તાકીદે પકડવાની કોંગ્રેસની માંગ


SHARE















મોરબી જિલ્લાના નકલી ટોલનાકાના ગુનામાં આરોપીને તાકીદે પકડવાની કોંગ્રેસની માંગ

મોરબી જિલ્લાના વાંકાનેર નજીક વઘાસિયા પાસે નકલી ટોલનાકા ચાલુ હતા જેની વાંકાનેર સિટીમાં ફરિયાદ નોંધાયેલ છે જો કે, હજુ સુધી આરોપી પકડાયેલ નથી ત્યારે કોંગ્રેસના આગેવાનોએ આ મુદે કલેકટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ભાજપની રહેમનજર હેઠળ વગદાર આરોપીઓએ બોગસ ટોલનાકા ચલાવીને કોરોડોનું કૌભાંડ કર્યું છે જે ગુનામાં આરોપી પકડાયેલ નથી જેથી વગદાર આરોપીઓને તાકીદે પકડવા કોંગ્રેસના આગેવાનોએ માંગ કરી છે

મોરબી કોંગ્રેસના આગેવાનોએ કલેકટર અને એસપીને લેખિત આવેદન પત્ર આપીને રજુઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, વાંકાનેરના વઘાસિયા પાસે નકલી ટોલનાકા ચાલુ હતા તેની ફરિયાદ નોંધાયેલ છે જેમાં આરોપી તરીકે સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના દીકરા અમરશીભાઇ જેરામભાઈ પટેલ, વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ અને ભાજપ આગેવાન ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, તેના ભાઈ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા તેમજ રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાના નામ છે તેમજ તેની સાથે સંડોવાયેલ શખ્સોને પકડવાના છે જો કે, આ ગુનામાં હજુ સુધી પોલીસે એક પણ આરોપીને પકડી શકી નથી અને પોલીસ આરોપીઓને રાજકીય ઈશારે છાવરી રહી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ કેસમાં જેની સામે ગુનો નોંધાયો છે તે ભાજપના આગેવાન અને તેના ભાઈની આગોતરા જામીન અરજી કોર્ટે રદ કરી છે જેથી કરીને ધરપકડનો માર્ગ મોકળો છે જો કે, વગદાર આરોપીઓને પોલીસ પકડી રહી નથી જેથી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ કરી છે અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસ આગેવાન રાજુભાઇ ચૌહાણ, બળવંતભાઈ વોરા, દામજીભાઈ મકવાણા, દેવેન્દ્રસિંહ જાડેજા, રવજીભાઈ સોલંકી,વિનુભાઈ તથા મોરબી જિલ્લા એન.એસ.યુ.આઈ. પ્રમુખ ભાવનિક મુછડીયા સહિતના હાજર રહ્યા હતા.






Latest News