મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના નકલી ટોલનાકાના ગુનામાં આરોપીને તાકીદે પકડવાની કોંગ્રેસની માંગ


SHARE







મોરબી જિલ્લાના નકલી ટોલનાકાના ગુનામાં આરોપીને તાકીદે પકડવાની કોંગ્રેસની માંગ

મોરબી જિલ્લાના વાંકાનેર નજીક વઘાસિયા પાસે નકલી ટોલનાકા ચાલુ હતા જેની વાંકાનેર સિટીમાં ફરિયાદ નોંધાયેલ છે જો કે, હજુ સુધી આરોપી પકડાયેલ નથી ત્યારે કોંગ્રેસના આગેવાનોએ આ મુદે કલેકટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ભાજપની રહેમનજર હેઠળ વગદાર આરોપીઓએ બોગસ ટોલનાકા ચલાવીને કોરોડોનું કૌભાંડ કર્યું છે જે ગુનામાં આરોપી પકડાયેલ નથી જેથી વગદાર આરોપીઓને તાકીદે પકડવા કોંગ્રેસના આગેવાનોએ માંગ કરી છે

મોરબી કોંગ્રેસના આગેવાનોએ કલેકટર અને એસપીને લેખિત આવેદન પત્ર આપીને રજુઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, વાંકાનેરના વઘાસિયા પાસે નકલી ટોલનાકા ચાલુ હતા તેની ફરિયાદ નોંધાયેલ છે જેમાં આરોપી તરીકે સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના દીકરા અમરશીભાઇ જેરામભાઈ પટેલ, વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ અને ભાજપ આગેવાન ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, તેના ભાઈ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા તેમજ રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાના નામ છે તેમજ તેની સાથે સંડોવાયેલ શખ્સોને પકડવાના છે જો કે, આ ગુનામાં હજુ સુધી પોલીસે એક પણ આરોપીને પકડી શકી નથી અને પોલીસ આરોપીઓને રાજકીય ઈશારે છાવરી રહી હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ કેસમાં જેની સામે ગુનો નોંધાયો છે તે ભાજપના આગેવાન અને તેના ભાઈની આગોતરા જામીન અરજી કોર્ટે રદ કરી છે જેથી કરીને ધરપકડનો માર્ગ મોકળો છે જો કે, વગદાર આરોપીઓને પોલીસ પકડી રહી નથી જેથી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ કરી છે અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસ આગેવાન રાજુભાઇ ચૌહાણ, બળવંતભાઈ વોરા, દામજીભાઈ મકવાણા, દેવેન્દ્રસિંહ જાડેજા, રવજીભાઈ સોલંકી,વિનુભાઈ તથા મોરબી જિલ્લા એન.એસ.યુ.આઈ. પ્રમુખ ભાવનિક મુછડીયા સહિતના હાજર રહ્યા હતા.






Latest News