મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક-ગાત્રાળ સ્કૂલ અને સજનપરની સરકારી શાળામાં ગીતા જ્યંતિ ઉજવાઇ


SHARE







મોરબીમાં સાર્થક-ગાત્રાળ સ્કૂલ અને સજનપરની સરકારી શાળામાં ગીતા જ્યંતિ ઉજવાઇ

મોરબીના આવેલ સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા જયંતિ (મોક્ષદા એકાદશી)ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સવારે અને બપોરે ગીતાના અધ્યાયનું પઠન કરવામાં આવ્યું હતું તેમજ ગીતા આરતી, પૂજન, ગીતા ધ્યાન, ગીતા પઠન અને મહાત્મ્ય સમજાવવામાં આવ્યું હતું આ તકે શાળાના શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમજ શાળાના સંચાલક કિશોરભાઇ શુકલ, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક જયંતિભાઈ ભાડેશિયા તેમજ શાળા પ્રિન્સિપાલ સહિતના જોડાયા હતા આ તકે ઓછામાં ઓછા ત્રણ અધ્યાય બોલનારને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું આવી જ રીતે ઇન્ડીયન લાયોનેસ કલબ મોરબી દ્વારા ગીતાજયંતી નિમિત્તે ગાત્રાળ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ભારતીબેન વારોતરીયા દ્વારા ગીતાનું જ્ઞાન આપવામાં આવ્યું હતું અને બધા વિદ્યાર્થીઓને ભગવત ગીતાની પોકેટબૂકનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પ્રોજેક્ટમાં સેક્રેટરી જ્યોતિબેન વિઠ્ઠલપરા મેમ્બર દયાબેન અઘારા અને કવિતાબેન ભાલારાએ હાજરી આપી હતી આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ ગાત્રાળ વિદ્યાલયના આચાર્ય ભારતીબેન વારોતરીયા અને તેમના સ્ટાફનો આભાર માન્યો હતો. તો ટંકારાના સજનપર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં "ગીતા જ્યંતિ" ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી આ તકે ડી.એમ. મસોત દ્વારા પોતાની આગવી શૈલીમાં ગીતાનું મહત્વ બાળકોને સમજાવ્યું હતું તેમજ બાળકોને પોતાના જીવન ઘડતરમા ઉપયોગી થાય એવી પણ ખૂબ  જ સચોટ માહિતી આપી હતી તેમજ લજાઈ ગામના શ્રી ગૌ સેવક પરિવાર ત્થા સંજયભાઈ જે. મસોત દ્વારા ધો. ૭ અને ૮ ના બાળકોને ગીતાજી ગ્રંથનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમગ્ર સ્ટાફને આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવેલ હતા.






Latest News