મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં આંગણવાડી અને આશા વર્કર બહેનોને ઓનલાઈન કામ માટે અધિકારીઓ તરફથી મળે છે ધમકી ! મોરબીમાં નાણાકીય સાક્ષરતા સપ્તાહ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ; સાયબર ફ્રોડ અંગે લોકોને જાગૃત કરાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક-ગાત્રાળ સ્કૂલ અને સજનપરની સરકારી શાળામાં ગીતા જ્યંતિ ઉજવાઇ


SHARE













મોરબીમાં સાર્થક-ગાત્રાળ સ્કૂલ અને સજનપરની સરકારી શાળામાં ગીતા જ્યંતિ ઉજવાઇ

મોરબીના આવેલ સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા જયંતિ (મોક્ષદા એકાદશી)ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સવારે અને બપોરે ગીતાના અધ્યાયનું પઠન કરવામાં આવ્યું હતું તેમજ ગીતા આરતી, પૂજન, ગીતા ધ્યાન, ગીતા પઠન અને મહાત્મ્ય સમજાવવામાં આવ્યું હતું આ તકે શાળાના શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમજ શાળાના સંચાલક કિશોરભાઇ શુકલ, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક જયંતિભાઈ ભાડેશિયા તેમજ શાળા પ્રિન્સિપાલ સહિતના જોડાયા હતા આ તકે ઓછામાં ઓછા ત્રણ અધ્યાય બોલનારને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું આવી જ રીતે ઇન્ડીયન લાયોનેસ કલબ મોરબી દ્વારા ગીતાજયંતી નિમિત્તે ગાત્રાળ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ભારતીબેન વારોતરીયા દ્વારા ગીતાનું જ્ઞાન આપવામાં આવ્યું હતું અને બધા વિદ્યાર્થીઓને ભગવત ગીતાની પોકેટબૂકનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પ્રોજેક્ટમાં સેક્રેટરી જ્યોતિબેન વિઠ્ઠલપરા મેમ્બર દયાબેન અઘારા અને કવિતાબેન ભાલારાએ હાજરી આપી હતી આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ ગાત્રાળ વિદ્યાલયના આચાર્ય ભારતીબેન વારોતરીયા અને તેમના સ્ટાફનો આભાર માન્યો હતો. તો ટંકારાના સજનપર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં "ગીતા જ્યંતિ" ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી આ તકે ડી.એમ. મસોત દ્વારા પોતાની આગવી શૈલીમાં ગીતાનું મહત્વ બાળકોને સમજાવ્યું હતું તેમજ બાળકોને પોતાના જીવન ઘડતરમા ઉપયોગી થાય એવી પણ ખૂબ  જ સચોટ માહિતી આપી હતી તેમજ લજાઈ ગામના શ્રી ગૌ સેવક પરિવાર ત્થા સંજયભાઈ જે. મસોત દ્વારા ધો. ૭ અને ૮ ના બાળકોને ગીતાજી ગ્રંથનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમગ્ર સ્ટાફને આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવેલ હતા.






Latest News