મોરબીમાં સાર્થક-ગાત્રાળ સ્કૂલ અને સજનપરની સરકારી શાળામાં ગીતા જ્યંતિ ઉજવાઇ
મોરબીમાં ડો. જયંતીભાઈ ભાડેશિયા-ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં અક્ષત કળશ યાત્રા યોજાઇ
SHARE
મોરબીમાં ડો. જયંતીભાઈ ભાડેશિયા-ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં અક્ષત કળશ યાત્રા યોજાઇ
શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યાથી સંતો-મહંતો દ્વારા અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં આવેલ સ્વામિનારાયણ મંદિર (BAPS) થી આગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ. આ કાર્યકમમાં પશ્વિમ ક્ષેત્ર સંધચાલકજી ડો. જયંતીભાઈ ભાડેશિયા, મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, સ્વામી હરિસ્મરણ સ્વામીજી( BAPS), અતુલભાઈ મુખ્યાજી (મહાપ્રભુજી બેઠક), મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા અને કે.એસ. અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, મેઘરાજસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા, ગિરિરાજસિંહ ઝાલા જયવંતસિંહ જાડેજા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, ભાજપ તથા ભગિની સંસ્થાઓના જીલ્લા તથા શહેરના પદાધિકારીઓ, કાર્યકર્તા અને બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કળશ યાત્રાના સંયોજક તરીકે પુષ્પરાજસિંહ જાડેજા તથા સહ સંયોજક શિવાંગભાઈ દવે અને સાહુલભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા આ કળશ યાત્રામાં સંતો દ્વારા આશિષવચન પાઠવવામા આવ્યા હતા અને આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું