મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીની ઉમા ટાઉનશીપ, માધાપર અને ક્રિશ્ના સોસાયટીમાં અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું


SHARE







મોરબીની ઉમા ટાઉનશીપ, માધાપર અને ક્રિશ્ના સોસાયટીમાં અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

ભગવાન શ્રીરામ મંદિર અયોધ્યાથી આવેલ અક્ષત (ચોખા) કળશ જુદાજુદા વિસ્તારમાં ફરે છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા તેનું સ્વાગત કરીને સામૈયા કરવામાં આવી રહ્યા છે આ અક્ષત (ચોખા) કળશ મંગળવારે મોરબીના શનાળા રોડે આવેલ ક્રિષ્ના પાર્ક શેરી નં- ૨ માં છેડે આવેલ પુનિતનગર હનુમાનજીનાં મંદિરે આવ્યો હતો ત્યારે વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ચંદ્રેશનગર બાલા હનુમાનજીએ અક્ષત (ચોખા) કળશના સામૈયા કરવામાં આવ્યું હતું ત્યારે પુનિત નગર, ક્રિષ્ના પાર્ક ૧ અને ૨, આશાપાર્ક, રાધાપાર્ક વગેરે બધી જ સોસાયટીના લોકો ત્યાં આવ્યા હતા આવી જ રીતે મોરબીના સામાકાંઠે ઉમાં ટાઉનશીપમાં આ કળશ યાત્રા પહોચી હતી ત્યારે ઉમા ટાઉનશિપ ખાતે ખુબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો યાત્રામાં જોડાયા હતા તો મોરબીના માધાપર ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં અક્ષત કળશનું જાજરમાન સ્વાગત કરાયુ હતુ. અને અયોધ્યા ખાતે થનાર ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આનંદ અને ખુશી લોકોમાં જોવા મળી હતી ત્યારે જડેશ્વર મંદિર, માધાપર ગામ, સોમૈયા સોસાયટી, કારીયા સોસાયટી, અંબિકા રોડ અને જુની રેલવે કોલોની વિસ્તારમાં  સ્થાનિકો દ્વારા ઢોલ ત્રાસા સાથે કળશનું સ્વાગત કરવામાં આવ્યું હતું






Latest News