મોરબીના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે શિશુગૃહ-વૃધ્ધાશ્રમના ઉદ્દઘાટન સહિત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન
મોરબીની ઉમા ટાઉનશીપ, માધાપર અને ક્રિશ્ના સોસાયટીમાં અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું
SHARE
મોરબીની ઉમા ટાઉનશીપ, માધાપર અને ક્રિશ્ના સોસાયટીમાં અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું
ભગવાન શ્રીરામ મંદિર અયોધ્યાથી આવેલ અક્ષત (ચોખા) કળશ જુદાજુદા વિસ્તારમાં ફરે છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા તેનું સ્વાગત કરીને સામૈયા કરવામાં આવી રહ્યા છે આ અક્ષત (ચોખા) કળશ મંગળવારે મોરબીના શનાળા રોડે આવેલ ક્રિષ્ના પાર્ક શેરી નં- ૨ માં છેડે આવેલ પુનિતનગર હનુમાનજીનાં મંદિરે આવ્યો હતો ત્યારે વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ચંદ્રેશનગર બાલા હનુમાનજીએ અક્ષત (ચોખા) કળશના સામૈયા કરવામાં આવ્યું હતું ત્યારે પુનિત નગર, ક્રિષ્ના પાર્ક ૧ અને ૨, આશાપાર્ક, રાધાપાર્ક વગેરે બધી જ સોસાયટીના લોકો ત્યાં આવ્યા હતા આવી જ રીતે મોરબીના સામાકાંઠે ઉમાં ટાઉનશીપમાં આ કળશ યાત્રા પહોચી હતી ત્યારે ઉમા ટાઉનશિપ ખાતે ખુબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો યાત્રામાં જોડાયા હતા તો મોરબીના માધાપર ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં અક્ષત કળશનું જાજરમાન સ્વાગત કરાયુ હતુ. અને અયોધ્યા ખાતે થનાર ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આનંદ અને ખુશી લોકોમાં જોવા મળી હતી ત્યારે જડેશ્વર મંદિર, માધાપર ગામ, સોમૈયા સોસાયટી, કારીયા સોસાયટી, અંબિકા રોડ અને જુની રેલવે કોલોની વિસ્તારમાં સ્થાનિકો દ્વારા ઢોલ ત્રાસા સાથે કળશનું સ્વાગત કરવામાં આવ્યું હતું