મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના રિલીફનગરમાં ગટરના પાણી ઘરમાં ઘુસ્યાં !: તંત્ર પ્રશ્ન ન ઉકેલે તો પાલિકામાં ગંદકી ઠાલવવાની ચીમકી


SHARE









મોરબીના રિલીફનગરમાં ગટરના પાણી ઘરમાં ઘુસ્યાં !: તંત્ર પ્રશ્ન ન ઉકેલે તો પાલિકામાં ગંદકી ઠાલવવાની ચીમકી

મોરબીના સામાકાંઠે રિલીફનગર સોસાયટીમાં ગટર ઉભરવાની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે અને તેની રજૂઆતો પાલિકામાં કરવામાં આવેલ છે જો કે, હજુ સુધી સમસ્યાને ઉકેલવામાં આવી નથી અને હવે તો લોકોના ઘામાં ગટરના પાણી ઘૂસી ગયા છે ત્યારે આગામી ચાર દિવસમાં જો નક્કર કાર્યવાહી ન કરવામાં આવે તો ગટરની ગંદકી પાલિકામાં ઠાલવવાની ચીમકી સામાજિક કાર્યકરોએ ઉચ્ચારી છે

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોકભાઈ ખરચરિયા, ચિરાગભાઈ સેતાએ હાલમાં પાલિકામાં લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના રિલીફનગરમાં ગટરના ગંદા પાણી રોડ ઉપર તો છેલ્લા ઘણા સમયથી છે જો કે, હવે લોકોના ઘરમાં ગંદા પાણી ઘૂસી રહ્યા છે તો પણ પાલિકા કોઈ કામ કરી રહી નથી ત્યારે રિલીફનગરના બ્લોક નંબર ૩૦ અને ૪૦ અને ૭૩ તેમજ ૮૦ વચ્ચે ગટરનું ગંદુ પાણી ભરાયેલ છે અને જયા ગંદકી છે તેની આગળના ભાગમાં મંદિર આવેલ છે જેથી દર્શને આવતા જતાં લોકોને ગંદકી માંથી જવું પડે છે જેથી કરીને લોકોને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે આ ગટરના ગંદા પાણીનો વહેલ્લી તકે નિકાલ નહીં કરવામાં આવે તો રોગચાળા ફાટી નીકળે તેવી લોકોમાં દહેશત જોવા મળી રહી છે ત્યારે લોકોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાને રાખીને કામ નહીં કરવામાં આવે તો ચાર દિવસ બાદ ગટરના ગંદા પાણી પાલિકામાં ઠાલવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News