મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે આવેલ ઓમ શાંતિ પ્લે હાઉસનો વાષિકોત્સવ યોજાયો
SHARE
મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે આવેલ ઓમ શાંતિ પ્લે હાઉસનો વાષિકોત્સવ યોજાયો
સામાન્ય રીતે કોઈ પણ બાળક જન્મે છે ત્યારે તે કોરી પતિ જ હોય છે જો કે, ત્યાર બાદ તેના માતા પિતા અને પરિવારજનો ઉપરાંત તેના શિક્ષકો દ્વારા સંસ્કાર, શિક્ષણ અને સમજ રૂપી રંગો ભરીને તેને એક ઉમદા નાગરીક બનાવવામાં આવે છે આવુ જ ભગીરથ કાર્ય કરતા અને શહેરના સામાકાંઠે વિસ્તારમાં ઉમા ટાઉનશીપની બાજુમાં આવેલ ઓમ શાંતિ પ્લે હાઉસનો તાજેતરમાં માં ગરબી મંડળ વાળા મેદાનમાં વાષિકોત્સવ યોજાયો હતો જેમા પ્લે હાઉસના બાળકો દ્વારા વેશભૂષા, ડાન્સની કૃતિઓ રજુ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બાળકનો ઉત્સાહ વધારવા માટે પીજીવીસીએલના નિવૃત અધિક્ષક ઇજનેર આર.એમ. જાડેજા, પી.ડી. પટેલ, મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી પત્રકાર એસો.ના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ સહિતના આગેવાનો તેમજ વાલીઓ હાજર રહ્યા હતા અને ઉપરોક્ત તસ્વીરમાં કૃતી રજુ કરતા બાળકો નજરે પડી રહ્યા છે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્લે હાઉસના સંચલક જયશ્રીબા જાડેજા, મહાવીરસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી









