મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના માર્કેટયાર્ડમાં ઓફિસમાં ઘૂસીને યુવાનને પાંચ શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીના માર્કેટયાર્ડમાં ઓફિસમાં ઘૂસીને યુવાનને પાંચ શખ્સોએ માર માર્યો

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડમાં દુકાન ધરાવતા અને જમીનના પ્લોટિંગનું કામ કરતાં વેપારી સાથે ફોન ઉપર વાત ન થતાં ઓફિસે કામ કરતાં કર્મચારીના ફોનમાં ફોન કરીને ગાળો દેવામાં આવી હતી ત્યાર બાદ પાંચ શખ્સો ઓફિસે આવ્યા હતા અને ત્યારે યુવાનને ગાળો આપીને ઓફિસમાં ખુરશી, સાવરણી અને ઢીકાપાટુ વડે યુવાનને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી દેવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડમાં દુકાન નંબર બી-૧૫ ધરાવતા ભરતભાઈ રૂપનાથભાઈ વાઘડીયાને ત્યાં કામ કરતા અને મોરબીના પંચાસર રોડ ઉપર નાની કેનાલ પાસે શિવપાર્કમા આવેલ ઉપાસના પેલેસ બ્લોક નં-૨૦૨ ખાતે રહેતા મિલનભાઈ પ્રાણજીવનભાઈ કકાસણીયા જાતે પટેલ (૩૩) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રોહિતભાઈ ભરવાડ અને ભોલુભાઈ જારીયા રહે.બંને મોરબી તેમજ અજાણ્યા ત્રણ શખ્સો આમ કુલ મળીને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, સનાળા રોડ ઉપર આવેલ ભરતભાઈની ઓફિસે તે કામ કરે છે અને ભરતભાઇ હાજર ન હતા તેમજ તેઓની સાથે આરોપી રોહિત ભરવાડને કોઈ બાબતે ફોન ઉપર વાતચીત થતી ન હોય જેથી કરીને ફરિયાદીના ફોન નંબર ઉપર તેણે ફોન કરીને ગાળો આપી હતી ત્યારબાદ પાંચ શખ્સો તેની ઓફિસે આવ્યા હતા અને ત્યાં ગાળો બોલીને ફરિયાદીને ખુરશી, સાવરણી અને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ હાલમાં કુલ મળીને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વરલી જુગાર

મોરબીમાં આવેલ ઘંટીયા પા શેરી પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ થઈ હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર લેતા દિનેશભાઈ ચત્રભુજભાઈ કારીયા જાતે લોહાણા (ઉમર ૫૮) રહે. ઘંટીયાપા શેરી મોરબી વાળા મળી આવ્યા હોય પોલીસ તેની પાસેથી ૪૮૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી.






Latest News