મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી પાટીયા પાસે ઓફિસમાં દારૂની ૩૦ બોટલ સાથે એકની ધરપકડ


SHARE







મોરબીના ટીંબડી પાટીયા પાસે ઓફિસમાં દારૂની ૩૦ બોટલ સાથે એકની ધરપકડ

મોરબી નજીકના ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ શિવશક્તિ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૩૦ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૭,૫૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી ટિંબડી ગામના પાટીયા પાસે શિવશક્તિ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં દારૂનો જથ્થો હોવા અંગેની મોરબી એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે પોલીસે દારૂની કરી હતી ત્યારે ઓફિસમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની કુલ મળીને ૩૦ બોટલો મળી આવતા પોલીસે ૧૭,૫૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી કિર્તીભાઈ કનુભાઈ વરાળીયા જાતે વાણીયા (૨૪) રહે. જૂની પીપડી ૮- એ નેશનલ હાઇવે ટિંબડી ગામના પાટીયા સામે શિવ શક્તિ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં મૂળ રહે, હડદડ  રામજી મંદિર પાસે તાલુકો જીલ્લો બોટાદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં હવે તાલુકા પોલીસી દ્વારા આગળની તપાસ કરવી શરૂ કરવામાં આવી છે આ અંગેની આગળની વધુ તપાસ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના રવાપર ગામે આવેલ ખોડીયાર ભરડીયા નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવની અંદર સંજય નરસીભાઈ કામાણી (૨૮) અને ભરત પોપટભાઇ લધાણી (૨૦)ને મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં સામે આવ્યું હતું કે સંજય કામાણી અને ભરત લુધાણી બને ધ્રોલ ખાતેથી મોરબીના રવાપર ગામે મહેમાનગતિ માટે આવ્યા હતા અને અહીં મિત્ર સાથે બોલાચાલિ થયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંનેને ઈજા થતા સારવાર માટે લઈ જવાયા હતા.






Latest News