મોરબીની પંચાસર ચોકડીએ બાઈકમાંથી નીચે પડતાં ઇજા પામેલા વૃદ્ધાનું મોત
મોરબીના રફાળેશ્વર ગામે આત્યાંતિક પગલુ ભરી લેનાર યુવતીનું સારવાર દરમિયાન મોત
SHARE
મોરબીના રફાળેશ્વર ગામે આત્યાંતીક પગલુ ભરી લેનાર યુવતીનું સારવાર દરમિયાન મોત
મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતી યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધેલ છે જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજયું છે જેથી કરીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે.
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે રહેતી જાગૃતીબેન ગજાનનભાઈ જોશી (૨૩) નામની યુવતીએ પોતે પોતાના ઘરની અંદર હતી ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે તે યુવતીને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજયું હતું જેથી કરીને આપઘાતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી હતી. વધુમાં મળેલ માહિતી મુજબ મૃતક યુવતી પાંચ બહેનોમાં સૌથી નાની છે અને તેના માતાનું કોરોનામાં અવસાન થયું હતું ત્યારથી તે ગુમસૂમ રહેતી હતી અને કોઈ કારણોસર તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધેલ છે હાલમાં મૃતક યુવતીના પરિવાર પાસેથી મળેલી વિગતની નોંધ કરીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ રહે છે.