મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

હળવદમાં મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો


SHARE















હળવદમાં મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

સમગ્ર દેશનો ખૂણે ખૂણો વિકસિત બને અને સામાન્ય તેમજ જરૂરિયાતમંદ એમ દરેક લોકો સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ ઘર આંગણે જ મેળવી શકે તે માટે સરકાર દ્વારા વિકસિત ભારતના સંકલ્પ યાત્રા રથની શરૂઆત કરવામાં આવી છે. જે અન્વયે કેન્દ્રીય મહિલા અને બાળ સુરક્ષા અને આયુષ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને હળવદ શહેરમાં રાજોધરજી હાઈસ્કુલના આંગણમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ લોકકલ્યાણી યોજના સાથે પહોંચીને લોકોને વિવિધ યોજનાથી લાભાન્વિત કર્યા હતા.  

આ પ્રસંગે ડૉ. મહેન્દ્ર મુંજપરાએ પ્રાસંગિક ઉદ્દ્બોધન કરતા જણાવ્યું કે, “વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે કે આપણો દેશ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બને. આપણે સૌ આરોગ્ય, શિક્ષણ, ખેતી વગેરે જેવા દરેક ક્ષેત્રમાં વિકસિત બનીએ અને ભારતની માથાદીઠ આવક વધે તે માટે પ્રયાસ કરી રહ્યા છીએ. આજે આ સેવાસેતુ પોગ્રામ આપણા ઘરઆંગણે પહોંચ્યો છે, તેનો સૌ લોકોએ મળીને લાભ લેવાનો છે, કારણ કે આયુષ્માન કાર્ડએ એકપણ રૂપિયો ખર્ચ કર્યા વગરની દુનિયાની સૌથી મોટામાં મોટી વિમા યોજના છે, આજે આ આયુષ્માન યોજનામાં દેશનાં ૧૨ કરોડથી વધારે ઘર જોડાઈ ગયા છે અને ૫૫ કરોડથી વધુ લોકો તેનો લાભ મેળવી રહ્યા છે. આ યોજના ૧૯૪૯ પ્રકારના રોગો સહિત ૨૭ પ્રકારની સ્પેશ્યાલિટી ટ્રીટમેન્ટ આપે છે.આ ઉપરાંત, ડૉ. મહેન્દ્ર મુંજપરાએ પ્રધાનમંત્રી ફંડ, પી.એમ. ભારતીય જનઔષધિ પરિયોજના, ઉજ્જવલા યોજના, પી.એમ. વિશ્વકર્મા યોજના, પંડિત દિનયાળ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરે જેવી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, “હળવદ એક દિવાદાંડી બનતું શહેર છે. આપણે નાની મોટી બદીઓને દૂર કરી ઊંચાઈ પકડવાની છે. આપણે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસ થકી પુર્ણ વિકસિત ભારતના સપનાને સાકાર કરવું છે.

આ કાર્યક્રમ દરમિયાન હળવદ શહેરમાં વિવિધ સેવાકિય કાર્યક્રમ કરતી સંસ્થાઓને મહાનુભવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. અને અંતમાં મહાનુભાવો દ્વારા રાજોધરજી હાઈસ્કુલના આંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, કલેક્ટર જી.ટી. પંડ્યા, પુર્વ ધારાસભ્ય પરષોત્તમભાઈ સાબરીયા, હળવદ તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ સરાવાડીયા, જિલ્લા પુરવઠા અધિકારી સંદિપ વર્મા, હળવદ નગરપાલીકાના ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરીયા, તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સિંધવ, હળવદ માર્કેટીંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી, અગ્રણીઓ બિપિનભાઈ દવે, રણછોડભાઈ દલવાડી, અજયભાઈ રાવળ, મનસુખભાઈ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, સહિતના વિવિધ અધિકારીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં હળવદના શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News