મોરબીમાં ૩૫ લાખના ઓનલાઈન ફ્રોડના ગુનામાં વધુ એક રાજસ્થાની શખ્સની મુંબઈથી ધરપકડ
માળીયા (મી)ના અણિયારી ટોલનાકા નજીકથી કતલખાને લઈ જવાતા ૧૨ અબોલજીવને ગૌરક્ષકોએ બચાવ્યા
SHARE
માળીયા (મી)ના અણિયારી ટોલનાકા નજીકથી કતલખાને લઈ જવાતા ૧૨ અબોલજીવને ગૌરક્ષકોએ બચાવ્યા
મોરબી, વિરમગામ, લીંબડી અને ચોટીલાના મોરબી હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા અબોલ જીવને બચાવી લીધેલ છે અને માળીયા પોલીસે હાલમાં ડ્રાઈવર સહિત બે શખ્સને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબી કચ્છ હાઇવે રોડ ઉપરથી એક તુફાન ગાડીમાં મોટી સંખ્યામાં પશુઓને કચ્છના સામખીયારી તરફથી ભરીને માળીયા, હળવદ થઈને અમદાવાદ લઈ જવાની છે તેની માહિતી મળી હતી જેથી કરીને ગૌરક્ષકોએ વોચમાં હતા ત્યારે જીજે ૫ બીઝેડ ૯૩૪૭ નંબરની તુફાન ગાડી નીકળી હતી ત્યારે ગૌરક્ષકો અને પોલીસે તેનો પીછો કરીને અણીયારી ટોલનાકાથી આગળ ગાડીને ઉભી રાખીને ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી ૧૨ અબોલજીવ મળ્યા હતા. અને તુફાન ગાડીના ડ્રાઈવરને પૂછતાં તેણે આ પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની હકીકત જણાવી હતી જેથી કરીને પોલીસે ડ્રાઈવર અને તેની સાથે રહેલા અન્ય એક શખ્સને પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી અને આ કામગીરીમાં ગૌરક્ષકોને માળીયા પોલીસનો સારો સહકાર મળ્યો હતો.