ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના ખીજડીયા ગામે ખૂંટીયા ઉપર જ્વલંતશીલ પ્રવાહી નાખનારા બે શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE













વાંકાનેરના ખીજડીયા ગામે ખૂંટીયા ઉપર જ્વલંતશીલ પ્રવાહી નાખનારા બે શખ્સ સામે ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે આવેલ ખરાવાડ વિસ્તારમાં ખૂંટીયા ઉપર બે શખ્સ દ્વારા જ્વલંતશીલ પ્રવાહી નાખવામાં આવ્યું હતું જેથી હાલમાં આ ઘટના સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામની સીમમાં આવેલ ખારાવાડમાં રજડતા ખૂંટીયા ઉપર જ્વલંતશીલ પ્રવાહી નાખવામાં આવ્યું હતું જે ઘટનાને લઈને ખીજડીયા રાજ ગામે રહેતા જીવણદાસ વીરદાસ મકવાણા જાતે અનુ. જાતી (૭૨)એ હાલમાં ઇલમુદ્દીનભાઈ ઇબ્રાહીમભાઇ વકાલીયા અને ઈસ્માઈલભાઈ જલાલભાઈ શેરસીયા રહે. બંને ખીજડીયા વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૪૨૯, ૧૧૪ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧ (૧) (એ) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના વી.ડી. ખાચર ચલાવી રહ્યા છે






Latest News