મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની રવિરાજ ચોકડી અચાનક ચક્કજામ કરનારા ૨૨ શખ્સો સામે ગુનો નોંધાયો: ૧૦ની ધરપકડ


SHARE







મોરબીની રવિરાજ ચોકડી અચાનક ચક્કજામ કરનારા ૨૨ શખ્સો સામે ગુનો નોંધાયો: ૧૦ની ધરપકડ

ભારત સરકાર દ્વારા રોડ ઉપર દિવસેને દિવસે વધી રહેલા અકસ્માતોને ધ્યાનમાં રાખીને કાયદામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે તેને લઈને મોરબીની રવિરાજ ચોકડી પાસે ડ્રાઇવરો દ્વારા શનિવારે ચક્કાજામ કરવામાં આવ્યો હતો જેથી મોરબી તાલુકા પોલીસ દ્વારા સ્થળ ઉપરથી ૧૦ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી અને હાલમાં આ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને ૨૨ જેટલા શખ્સોની સામે ગુનો નોધી તાલુકા પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

દેશના જુદા જુદા જિલ્લાઓમાં હાઇવે રોડ ઉપર થતા અકસ્માતોમાં અનેક લોકોના જીવ ગયા છે અને અકસ્માત સર્જીને વાહન ચાલકો પોતાના વાહનો સ્થળ ઉપરથી લઈને નાસી છૂટતા હોવાના કારણે ભોગ બનેલા પરિવારજનોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ તો વાહન ન મળવાના કારણે ગુનાના ડિટેકશન સહિતના પ્રશ્નો ઊભા થતા હોય છે તેમજ ભોગ બનેલા પરિવારને વીમાની રકમ મેળવવામાં પણ ઘણી વખત હાલાકીનો સામનો કરવો પડતો હોય છે જેથી આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા અકસ્માતના કાયદામાં ફેરફાર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમાં અકસ્માત સર્જનાર જો અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી વાહન લઇને નાસી જાય તો દસ લાખનો દંડ અને દસ વર્ષની સજા આ પ્રકારની જોગવાઈ કરવામાં આવે તેવી શક્યતાઓ છે

જેથી કરીને મોરબીની રવિરાજ ચોકડી પાસે ટ્રક ડ્રાઇવરો દ્વારા શનિવારે સવારે અચાનક જ ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો જેથી કરીને વાહનોના થપ્પા લાગી ગયા હતા આ અંગેની જાણ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને થતાં તાલુકા પીઆઇ કે.એ. વાળા તેમજ તેઓની ટીમ અને એલસીબીના જવાનો ત્યાં સ્થળ ઉપર દોડી ગયા હતા અને સ્થળ ઉપર ચકાજામ કરનારા ટ્રક ડ્રાઇવરોને રસ્તા ઉપરથી દૂર કરી ટ્રાફિકને કાર્યરત કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી દરમિયાન સ્થળ ઉપરથી શનિભાઈ રમેશભાઈ વાંજા (૨૩) રહે. માધવ ગૌશાળા પાસે રવાપર, મુકેશભાઈ બાબુભાઇ કોળી (૩૦) રહે. વીશીપરા મોરબી, શંકરભાઈ ભવરસિંગ ભીલ (૨૮) રહે. ટીબડી પાટીયા પાસે મોરબી, મુકેશભાઈ તેરૂભાઈ ભીલ (૨૯) રહે. માણાબા તાલુકો માળીયા મીયાણા, મહેશભાઈ માઘુભાઈ જાદવ (૪૦) રહે. ટીબડી, રાજુભાઈ જવસિંગ પરમાર (૩૧) રહે. ટીબડી, જગદીશભાઈ હેમરાજભાઈ માંડવિયા જાતે કોળી (૫૫) રહે. ધુનડા (સ), મનુભાઈ ધનજીભાઈ ડાભી જાતે કોળી (૪૫) રહે. મયુરનગર, રમેશભાઈ જેઠાભાઈ સોલંકી જાતે અનુ. જાતી (૪૩) રહે. આંદરણા અને અજયભાઈ લક્ષ્મણભાઈ ડામોર (૨૪) રહે.પીપળીયા વાળાની ધરપકડ કરી હતી આ શખ્સો ઉપરાંત ૧૨ આમ કુલ મળીને ૨૨ સામે આઇપીસી કલમ ૧૪૩, ૧૪૯ અને ૩૪૧ મુજબ ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News