હળવદના ઘનશ્યામપુર ગામે પિતાએ મોબાઈલ લઈ લેતા યુવતીએ ઝેરી દવા ગટગટાવી !
વાંકાનેરના સરતનપર રોડે લેબર કવાર્ટરમાં યુવાને ન કરવાનું કર્યું
SHARE
વાંકાનેરના સરતનપર રોડે લેબર કવાર્ટરમાં યુવાને ન કરવાનું કર્યું
વાંકાનેર તાલુકાના સરતનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કેમરાન સીરામીક ખાતે લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતો હેમંતભાઈ કબીરાજભાઈ બળતીયા (૨૦) એ કોઈ કારણોસર પોતે પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે ત્યાં ગળાફસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને સોમનાથભાઈ વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી