૩૧ ફર્સ્ટની ઉજવણી એટલે... વિકૃતિની ચરમસીમા, પ્રકૃતિનુ ગાંડપણ, અને સંસ્કૃતિનુ ચીરહરણ
SHARE
૩૧ ફર્સ્ટની ઉજવણી એટલે... વિકૃતિની ચરમસીમા, પ્રકૃતિનુ ગાંડપણ, અને સંસ્કૃતિનુ ચીરહરણ
વર્ષ-૨૦૨૩ ની વિદાય અને વર્ષ-૨૦૨૪ ના નવા વર્ષને આવકારવા થર્ટી ફર્સ્ટની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી.જેને આધુનિકતાનુ આંધળું અનુકરણ કહેવુ કે માનવ જીવનનુ ગાંડપણ કારણ કે કરોડા રૂપિયાના ખર્ચે કરી શરાબ અને ડાન્સ પાર્ટીના આયોજન કરશે અને દિવસે મેરા ભારત મહાનના નારા લગાવશે.
જ્યાં લોકો ખાવા માટે ફાંફા મારે છે, કડકડતી ઠંડીમાં જેમને ઓઢવા માટે શાલ નથી મળતી, જ્યાં દવાખાનાના દવાના પૈસા માટે માણસ વલખા મારે છે, પોતાના પરિવારના ઘરેણાં દાગીના વેચીને લોકો દવાખાનાનો ખર્ચ ઉઠાવવા મજબુર છે.તેવા પરિવારને મદદરૂપ બની નવા વર્ષને આવકારશો તો ચોક્કસ આપનુ નવુ વરસ સારુ, સુખમય અને શાંતિમય નિવડશે.કોઇ દિન દુખીયાના આંસુ લૂંછી નવા વર્ષની શરૂઆત કરીએ તો સાચી ભારતીય સંસ્કૃતિનુ સિંચન થયુ ગણાશે.સંસ્કૃતિ અને સંસ્કારના દેશમાં પરદેશીઓના વેષ ભજવાય રહ્યા છે એ આપણી સૌથી મોટી કમનસીબી છે.ભારતીય પ્રણાલીકા મુજબ અને સિદ્ધાંતોને નહી અનુસારવા વાળા લોકોને મેરા ભારત મહાન બોલવાનો કોઇ અધિકાર નથી.તો આવો સૌ સંસ્કૃતિ, સંસ્કાર, વિવેક બુદ્ધિથી નવા વર્ષને આવકારીએ.તેવી ભાવના અહિંના લેખક રાજેશભાઈ એસ. વ્યાસ (ધ્રુવનગર-ટંકારા)એ વ્યક્ત કરી હતી