મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે કારખાનામાં શોર્ટ લગતા સારવારમાં લઈ જવાયેલા યુવાનનું મોત


SHARE











વાંકાનેરના ભલગામ પાસે કારખાનામાં શોર્ટ લગતા સારવારમાં લઈ જવાયેલા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ કારખાનાની અંદર કામગીરી દરમિયાન યુવાનને વીજ શોક લાગ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે ખસેડાયા હતા અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ વેન્ટો ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની અંદર કામગીરી દરમિયાન પ્રકાશકુમાર નોષાદ (ઉંમર ૨૨) નામના યુવાનને વીજ શોક લાગ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નિપજયુ હતું ત્યાર બાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આધેડનું મોત

ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા રાજેશભાઈ કરસનભાઈ સાકરીયા (ઉંમર ૫૦) ને ઉધરસ આવતાં બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ તેને બેભાન અવસ્થામાં રાજકોટ ખાતે સારવાર માટે લઈને ગયા હતા ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા માટે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News