વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ ન થાય તો પાલિકાને તાળાબંધી કરવા સામાજિક કાર્યકરોની ચીમકી


SHARE







મોરબી શહેરમાં બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ ન થાય તો પાલિકાને તાળાબંધી કરવા સામાજિક કાર્યકરોની ચીમકી

મોરબી પાલિકામાં કોઈ વિપક્ષના સભ્ય છે જ નહિ તો પણ લોકોની સુવિધામાં વધારો કેમ થતો નથી તે સૌથી મોટો સવાલ છે હાલમાં મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે કે મોરબીના મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ છે અને કેટલા વિસ્તારોમાથી સ્ટ્રીટ લાઇટો ચોરી કરવામાં આવેલ છે તો પણ તેની દરકાર લેવામાં આવી રહી નથી ત્યારે દશેરા અને દિવાળી જેવા રોશનીના પર્વ આવી રહ્યા છે ત્યારે જો ગામમાં અંધારા દૂર કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી સામાજિક કાર્યકરોએ ઉચ્ચારી છે

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોકભાઈ ખરચરીયા, મુસાભાઈ બ્લોચ અને જીજ્ઞેશભાઈ પંડ્યાએ હાલમાં કલેક્ટરને રજુઆત કરી છે કે, શહેરના સામાકાંઠે નટરાજ ફાટકથી ધરમપુર રોડ ઉપર છેલ્લા સાત મહિનાથી સ્ટ્રીટ લાઈટો બંધ છે, પી.ડબ્લ્યુ, ડી. કચેરી તથા ત્રાજપર ચોકડીથી તાલુકા પોલીસ સ્ટેશન સુધીના રોડ ઉપર અમુક લાઈટો ચોરાઈ ગઈ છે અને અમુક લાઈટો બે માસથી બંધ છે, અયોધ્યાપુરી મેઈન રોડ જલારામ મંદિરવાળો આખા રોડે અંધારા છે, કેનાલ રોડ ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી, વીસી ફાટકથી ધક્કાવાળી મેલડી માતાના મંદિર સુધી અંધારપટ્ટ છે તેના માટે અનેક વખત રજૂઆતો કરી છે તો પણ કામ કરવામાં આવતું નથી જેથી કરીને લોકો હેરના થાય છે હાલમાં મોરબી પાલિકામાં તમામ સભ્યો ભાજપના છે અને વિપક્ષ છે જ નહીં તો પણ લોકોની પ્રાથમિક સુવિધાઓમાં વધારો કેમ થતો નથી તે સૌથી મોટો સવાલ છે ત્યારે હાલમાં જે સ્ટ્રીટ લાઈટો બંધ છે તેને આગામી ૧૫ દિવસમાં ચાલુ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને પાલિકા કચેરીને તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચાર છે






Latest News