તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ ન થાય તો પાલિકાને તાળાબંધી કરવા સામાજિક કાર્યકરોની ચીમકી


SHARE











મોરબી શહેરમાં બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ ન થાય તો પાલિકાને તાળાબંધી કરવા સામાજિક કાર્યકરોની ચીમકી

મોરબી પાલિકામાં કોઈ વિપક્ષના સભ્ય છે જ નહિ તો પણ લોકોની સુવિધામાં વધારો કેમ થતો નથી તે સૌથી મોટો સવાલ છે હાલમાં મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે કે મોરબીના મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ છે અને કેટલા વિસ્તારોમાથી સ્ટ્રીટ લાઇટો ચોરી કરવામાં આવેલ છે તો પણ તેની દરકાર લેવામાં આવી રહી નથી ત્યારે દશેરા અને દિવાળી જેવા રોશનીના પર્વ આવી રહ્યા છે ત્યારે જો ગામમાં અંધારા દૂર કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી સામાજિક કાર્યકરોએ ઉચ્ચારી છે

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોકભાઈ ખરચરીયા, મુસાભાઈ બ્લોચ અને જીજ્ઞેશભાઈ પંડ્યાએ હાલમાં કલેક્ટરને રજુઆત કરી છે કે, શહેરના સામાકાંઠે નટરાજ ફાટકથી ધરમપુર રોડ ઉપર છેલ્લા સાત મહિનાથી સ્ટ્રીટ લાઈટો બંધ છે, પી.ડબ્લ્યુ, ડી. કચેરી તથા ત્રાજપર ચોકડીથી તાલુકા પોલીસ સ્ટેશન સુધીના રોડ ઉપર અમુક લાઈટો ચોરાઈ ગઈ છે અને અમુક લાઈટો બે માસથી બંધ છે, અયોધ્યાપુરી મેઈન રોડ જલારામ મંદિરવાળો આખા રોડે અંધારા છે, કેનાલ રોડ ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી, વીસી ફાટકથી ધક્કાવાળી મેલડી માતાના મંદિર સુધી અંધારપટ્ટ છે તેના માટે અનેક વખત રજૂઆતો કરી છે તો પણ કામ કરવામાં આવતું નથી જેથી કરીને લોકો હેરના થાય છે હાલમાં મોરબી પાલિકામાં તમામ સભ્યો ભાજપના છે અને વિપક્ષ છે જ નહીં તો પણ લોકોની પ્રાથમિક સુવિધાઓમાં વધારો કેમ થતો નથી તે સૌથી મોટો સવાલ છે ત્યારે હાલમાં જે સ્ટ્રીટ લાઈટો બંધ છે તેને આગામી ૧૫ દિવસમાં ચાલુ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને પાલિકા કચેરીને તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચાર છે






Latest News