માળીયા (મી)ના ખાખરેચી ગામે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની કરાશે ઉજવણી
મોરબીના નિવૃત ગુરુજનોનો ગૌમાતા માટે અનોખો સેવાયજ્ઞ
SHARE
મોરબીના નિવૃત ગુરુજનોનો ગૌમાતા માટે અનોખો સેવાયજ્ઞ
મોરબીના મહેન્દ્રનગર નીવાસી રણછોડભાઈ ઓડિયા કે જેઓ ઘણા બધા વર્ષો ઈશ્વરનગર શાળામાં અને ત્યારબાદ પંદરેક વર્ષ રંગપર શાળામાં શિક્ષક તરીકે સંનિષ્ઠ સેવા બજાવી સેવા નિવૃત થયા, સતત પ્રવૃત્તિસીલ રહેતા રણછોડભાઈ ઓડિયાને નવરાશના સમયમાં કંઈક સેવાકાર્ય કરવાનો વિચાર આવતા પરિવારના લોકો પોતાન ધર્મપત્ની, બે દિકરા અને પુત્રવધૂ સમક્ષ પ્રસ્તાવ મુક્યો કે મારે ગૌમાતા માટે કંઈક કરવું છે.સોસાયટીમાં એપાર્ટમેન્ટમાં ઘણા બધા અન્નનો બગાડ થતો હોય છે અને એઠવાડ બની જાય છે અને કોઈને કામ આવતો નથી આ અન્ન એકત્ર કરવાનું રણછોડભાઈ ઓડિયાએ બીડું ઝડપ્યું,પરિવારજનોએ પણ સંમતિ આપી એટલે રણછોડભાઈએ ઓટો રીક્ષા ખરીદી, પચાસ જેટલી કલરની ડોલ કલરવાળા પાસેથી પ્રાપ્ત કરી અને પ્રભુકૃપા ટાઉનશીપ, સોમનાથ ટાઉનશીપ, ક્રાંતિજ્યોત ટાઉનશીપ, હરિગુણ સોસાયટી વગેરેમાં એપાર્ટમેન્ટ નીચે એ ડોલો મૂકી દીધી અને લોકોને જણાવ્યું કે વધેલું અન્ન આ ડોલમાં નાખજો હું દરરોજ આવીને લઈ જઈશ, બસ રણછોડભાઈનું સેવાકાર્ય શરૂ થયું ઓટોરીક્ષા ચલાવતા નહોતી આવડતી છતાં શીખી લીધી અને અમરનગર શાળામાં નિવૃત થયેલ સારસ્વત શિક્ષક મનસુખભાઈ ચારોલાનો સાથ મળ્યો, બને નિવૃત ગુરુજનો ગૌમાતા માટે રોટલી રોટલાનું સોરટિંગ કરી અખાદ્ય વસ્તુઓ દૂર કરી દરેક એપાર્ટમેન્ટ નીચેથી ડોલ એકત્ર કરી રિક્ષામાં ડોલ ગોઠવી નિરાધાર ગૌ સવર્ધન ખાતે દરરોજ પોતાના હાથે નિરણ, ઘાસચારાની સાથે ગાયોને ખવડાવે છે ૧૪ જાન્યુઆરી ૨૦૨૩ થી શરૂ કરેલું આ સેવાકાર્ય સતત અવિરત ચાલુ છે









