મોરબીમાં આડેધડ પાર્કિંગ, લારી, ગલ્લા અને પાથરણાંના દબાણોથી શહેરીજનોએ ત્રસ્ત: તંત્ર નિંદ્રાધીન
SHARE
મોરબીમાં આડેધડ પાર્કિંગ, લારી, ગલ્લા અને પાથરણાંના દબાણોથી શહેરીજનોએ ત્રસ્ત: તંત્ર નિંદ્રાધીન
મોરબી શહેરમાં ટ્રાફિક પોલીસનું કોઈ અસ્તિત્વ જ ન હોય તે પ્રકારે ગમે ત્યાં ગમે તે રીતનું દબાણ રસ્તા ઉપર અને તેની આજુબાજુમાં થઈ જતું હોય છે તેવું જોવા મળી રહ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી લારી, ગલ્લા અને પાથરણાંનો પ્રશ્ન છે જેને ઉકેલવા માટે આજ દિવસ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી હોય તેવું જોવા મળ્યું નથી અને જ્યારે પણ કોઈ અધિકારી આવવાના હોય કે મંત્રી આવવાના હોય ત્યારે તેઓને રૂડું રૂડું બતાવવા માટે થઈને પાસેરામાં પૂણી જેટલી કામગીરી કરવામાં આવે છે અને લારી, ગલ્લા અને પાથરણાંના દબાણો ગણતરીની કલાકો કે પછી એકાદ દિવસમાં પાછા હોય તેમજ ગોઠવાઈ જાય છે તેવું અત્યાર સુધીમાં જોવા મળ્યું છે ત્યારે જો વાત કરીએ તો મોરબીના પરાબજાર મેઇન રોડ ઉપર આવેલ પોસ્ટ ઓફિસ અને એસબીઆઇની સામેના ભાગમાં જે વન-વે રસ્તો છે તે વન-વે રસ્તા ઉપર આડેધડ કાર, રીક્ષા સહિતના વાહનોને પાર્ક કરી દેવામાં આવે છે તેમજ ઘણી વખત રેકડીઓ ઊભી રાખી દેવામાં આવે છે તેમજ એસબીઆઇ બેન્ક અને પોસ્ટ ઓફિસની સામેના ભાગમાં અને આજુબાજુમાં પણ લારી, ગલ્લા અને પાથરણાંના કાયમી દબાણો થઈ ગયા છે જે કોઈ અધિકારીને દેખાતા જ નથી આટલું જ નહીં પરંતુ પર આ પરાબજાર મેઇન રોડ ઉપર તેમજ શાક માર્કેટ ચોક અને નગર દરવાજા ચોકમાં દિવસેને દિવસે દબાણો વધતા જાય છે તો પણ સ્થળ ઉપર હાજર રહેલા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ આંખ ખાડા કાન કરી રહ્યા છે ? અને પાલિકા તંત્ર તો જાણે મોરબી શહેર તેઓની જવાબદારીમાં આવતું જ નથી તે રીતે નિંદ્રાધીન અવસ્થામાં છે જેથી દબાણ કરનારાઓની હિમતમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે અને તંત્રની નિર્માલ્યતા હવે લોકો માટે માથાના દુખાવા સમાન બની રહી છે ત્યારે આ તમામ પ્રકારના દબાણને દૂર કરવા માટે થઈને કયા અધિકારી હિંમત કરશે તે તો આગામી સમય જ બતાવશે









