મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં મોઢામાં પડેલા ચાંદામાં દવા લેવા છતાં એક વર્ષથી ફેર પડતો ન હોય વૃદ્ધા ફિનાઈલ પી જતા સારવારમાં ખસેડાયા


SHARE















મોરબીમાં મોઢામાં પડેલા ચાંદામાં દવા લેવા છતાં એક વર્ષથી ફેર પડતો ન હોય વૃદ્ધા ફિનાઈલ પી જતા સારવારમાં ખસેડાયા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીના પાછળના ભાગે આવેલા માળીયા-વનાળીયા સોસાયટીમાં રહેતા કંચનબેન કનુભાઈ ધુમલ જાતે બ્રાહ્મણ નામના ૬૨ વર્ષીય વૃદ્ધા ફીનાઇલ પી જતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું.આ બાબતે વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંચનબેન ધુમલને છેલ્લા એકાદ વર્ષથી મોઢાના ભાગે સતત ચાંદા પડતા હોય અને અનેક દવાઓ લેવા છતાં પણ તેમાં ફેર ન પડતો હોવાથી તેઓ આ બીમારીથી કંટાળી ગયા હતા અને જેને લીધે આવેશમાં આવી જઈને તેઓ બાથરૂમમાં પડેલ ફિનાઈલ પી ગયા હતા.જેથી તેઓને સારવારમાં ખસેડાયા હતા.

યુવતી સારવારમાં

મોરબીના જેતપર ગામે રહેતી હેતલબેન દિલીપભાઈ માલણીયાત (ઉમર ૨૨) નામની યુવતી કોઈ કારણોસર સીરપની આખી બોટલ એકી સાથે પી ગઈ હતી જેથી તેણીને જેતપર પીએચસી સેન્ટર ખાતે સારવારમાં લાવવામાં આવી હતી બાદમાં આ બનાવ સંદર્ભે હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસ મથકે જાણ કરાતા હાલ તે બીટ વિસ્તારના જમાદાર વી.એસ.ડાંગર આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

રીક્ષા પલટી જતા ઇજા

મોરબીના ખાખરાળા ગામે રહેતા બાબુભાઈ નથુભાઈ સવસેટા નામના ૪૬ વર્ષીય આધેડને માર્ગ અકસ્માતમાં ઈજા થતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકે જાણ કરાઈ હતી જેમાં સામે આવ્યું હતું કે મોરબીના નવલખી રોડ ઉપર ખાખરાળા ગામ નજીક આવેલા ત્રિમંદિરની પાસે રીક્ષા પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો જેમાં બાબુભાઈ સવસેટાને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા હતા જે બાબતે તે બીટ વિસ્તારના જમાદાર અર્જુનસિંહ આગળની તપાસ ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલા આનંદનગર વિસ્તારમાં રહેતો અને મૂળ જૂનાગઢનો ગૌતમ ભાવસિંહ એરડા જાતે કોળી નામનો ૨૦ વર્ષનો યુવાન તેના રૂમમાં મોબાઈલનું ચાર્જર લગાવી રહ્યો હતો.તે દરમિયાનમાં તેને શોટ લાગતા મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જે અંગે જાણ થતા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.






Latest News