સબ કે રામ, ઓન ઈન્સ્ટાગ્રામ: ગુજરાત ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા વિવિધ કલા-સ્પર્ધાનું આયોજન
મોરબીના રવાપર ગામેથી યુવાનનું અપહરણ કરવાના ગુનામાં પકડાયેલા આરોપીઓ જામીન મુક્ત
SHARE
મોરબીના રવાપર ગામેથી યુવાનનું અપહરણ કરવાના ગુનામાં પકડાયેલા આરોપીઓ જામીન મુક્ત
મોરબીના રવાપર ગામેથી યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓને જેલ હવાલે કરેલ હતા આ આરોપીઓના વકીલ મારફતે મોરબીની કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીઓને જામીન ઉપર મુકવ કોર્ટે હુકમ કરેલ છે
મોરબી એ ડિવિઝન પોલીસમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ હતી કે ફરીયાદી તથા સાહેદ બંને મૈત્રી કરાર કરી સાથે રહેતાં હોય જેનું મનદુ:ખ રાખી, આરોપીઓએ ભોગબનનાર સાહેદનું અપહરણ ઇકો ગાડીમાં કરી ગયા હતા અને આરોપીઓ વાડીએ લઈ જઈ ત્યાં તેને ઝાડ સાથે દોરડા વડે બાંધી રાખી લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી મહિલાની ફરીયાદના આધારે પોલીસે આઇપીસી કલમ ૩૯૫, ૩૨૩, ૩૯૮, ૩૪૨, ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૪૪૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૨૦(બી) તથા જી.પી.એકટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓ હરેશ, હામાભાઈ, માત્રાભાઈ, ભુપતભાઈ, ભોલાભાઈ, વીપુલભાઈ, રાયાભાઈ હીતેશભાઈ, સંદીપભાઈ અને પરેશભાઈની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી આ આરોપીઓએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફતે મોરબી કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી. ત્યારે આરોપી તરફે ધારદાર કાયદાકીય દલીલ કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીઓને શરતી જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબીના સીનીયર એડ્વોકેટ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી. સોલંકી, કુલદીપ ઝીંઝુવાડીયા, ૨વી ચાવડા, હીતેશ પરમાર રોકાયેલા હતા