મોરબીના જેતપર ગામે માતાના અવસાનની ગણતરીની કલાકમાં દીકરાનું હાર્ટ એટેકથી મોત
મોરબીની રવિરાજ ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલ વૃદ્ધાનું સારવારમાં મોત
SHARE
મોરબીની રવિરાજ ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલ વૃદ્ધાનું સારવારમાં મોત
મોરબી નજીકની રવિરાજ ચોકડી પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઈકના પાછળના ભાગે બેસીને જતા વૃદ્ધા બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી તેને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે તેઓનું મોત નીપજયું હતું જે બનાવની તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે
આ વાહન અકસ્માતના બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા તથા રાઇટર સાગરભાઇ મંઢ પાસેથી મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના વાટાવદર ગામના રહેવાસી કમળાબેન ગિરીશભાઈ ડાંગર જાતે આહિર (૬૦) નામના વૃદ્ધાનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નીપજેલ છે વધુમાં મળી રહેલ માહિતી મુજબ તા ૨૩/૧૨ ના રાત્રિના ૮:૩૦ વાગ્યાના અરસામાં કમળાબેન ડાંગર બાઈકના પાછળના ભાગે બેસીને મોરબીની રવિરાજ ચોકડી પાસેથી જતા હતા ત્યારે અકસ્માતે બાઈકમાંથી પાછળના ભાગે નીચે પડી ગયા હતા જેથી માથા અને શરીરના ભાગે ઇજા થતાં તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેઓનું તા ૩૦/૧૨ ના સાંજના સમયે મોત નીપજયું હતું જે બનાવની તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
બાળક સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં રહેતો અમિત ધર્મેશભાઈ ભૂરીયા (૨) નામનો બાળક રેલવે સ્ટેશન સામે રમતા રમતા ટર્પેન્ટાઈન પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
ફિનાઇલ ની ગોળીઓ પીધી
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો સાજીદ દોસ્તમામદ જામ (૨૮) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે ફીનાઇલની ગોળીઓ પી ગયો હતો જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે
ઇજાગ્રસ્ત સારવારમાં
હળવદ તાલુકાના અમરાપર ગામે રહેતા અનિલભાઈ મુકેશભાઈ ટીકરીયા (૧૮) નામના યુવાનને ગામમાં વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ છે જેથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત શરૂ કરી છે