મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની રવિરાજ ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલ વૃદ્ધાનું સારવારમાં મોત


SHARE







મોરબીની રવિરાજ ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલ વૃદ્ધાનું સારવારમાં મોત

મોરબી નજીકની રવિરાજ ચોકડી પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઈકના પાછળના ભાગે બેસીને જતા વૃદ્ધા બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી તેને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે તેઓનું મોત નીપજયું હતું જે બનાવની તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

આ વાહન અકસ્માતના બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા તથા રાઇટર સાગરભાઇ મંઢ પાસેથી મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના વાટાવદર ગામના રહેવાસી કમળાબેન ગિરીશભાઈ ડાંગર જાતે આહિર (૬૦) નામના વૃદ્ધાનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નીપજેલ છે વધુમાં મળી રહેલ માહિતી મુજબ તા ૨૩/૧૨ ના રાત્રિના ૮:૩૦ વાગ્યાના અરસામાં કમળાબેન ડાંગર બાઈકના પાછળના ભાગે બેસીને મોરબીની રવિરાજ ચોકડી પાસેથી જતા હતા ત્યારે અકસ્માતે બાઈકમાંથી પાછળના ભાગે નીચે પડી ગયા હતા જેથી માથા અને શરીરના ભાગે ઇજા થતાં તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેઓનું તા ૩૦/૧૨ ના સાંજના સમયે મોત નીપજયું હતું જે બનાવની તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બાળક સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં રહેતો અમિત ધર્મેશભાઈ ભૂરીયા (૨) નામનો બાળક રેલવે સ્ટેશન સામે રમતા રમતા ટર્પેન્ટાઈન પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ફિનાઇલ ની ગોળીઓ પીધી

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો સાજીદ દોસ્તમામદ જામ (૨૮) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે ફીનાઇલની ગોળીઓ પી ગયો હતો જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે

ઇજાગ્રસ્ત સારવારમાં

હળવદ તાલુકાના અમરાપર ગામે રહેતા અનિલભાઈ મુકેશભાઈ ટીકરીયા (૧૮) નામના યુવાનને ગામમાં વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ છે જેથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત શરૂ કરી છે






Latest News