મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીથી ભુજ અમદાવાદ ડેઇલી ટ્રેન દોડાવવા ડીઆરએમને રજૂઆત


SHARE







મોરબીથી ભુજ અમદાવાદ ડેઇલી ટ્રેન દોડાવવા ડીઆરએમને રજૂઆત

મોરબીથી સીધી લાંબા અંતરની કોઈ ડેઇલી ટ્રેન પસાર થતી ન હોવાથી હાલમાં ભાજપના આગેવાન દ્વારા ડીઆરએમને લેખિત રજૂઆત કરીને ભુજ અમદાવાદ ડેઇલી ટ્રેન વાયા મોરબી થઈને ચલાવવા માટે થઈને માંગણી કરેલ છે જો આ ટ્રેન શરૂ કરવામાં આવે તો મુસાફરોને મુસાફરીમાં અને ભાડામાં ઘણો ફાયદો થાય તેમ છે જેથી કરીને વહેલી તકે આ ટ્રેન શરૂ કરાવવા માટે થઈને માંગણી અને લાગણી વ્યક્ત કરવામાં આવી છે

મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વ કક્ષાનો સીરામીક ઉદ્યોગ આવેલ છે તે ઉપરાંત નાના-મોટા અનેક કારખાનાઓ અને ખેતીવાડીમાં રોજગારી મેળવવા માટે થઈને રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી અને બીજા રાજ્યોમાંથી અનેક શ્રમિકો મોરબી આવતા હોય છે જોકે તેઓને આવવા જવા માટે થઈને ખાનગી ટ્રાવેલ્સ બસમાં મુસાફરી કરવી પડે તેના કારણે વધુ ભાડા ચૂકવવા પડે છે અને તેઓની સલામતીનો પણ પ્રશ્ન ઊભો થતો હોય છે જેથી કરીને ભુજ અમદાવાદ વાયા મોરબી થઈને ડેઇલી ટ્રેન શરૂ કરવા માટે હાલમાં મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને મોરબી જિલ્લા રેલવે સલાહકાર સમિતિના સભ્ય સુરેશભાઈ શિરોહીયા દ્વારા ડીઆરએમને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને મોરબીના લોકોને અમદાવાદ આવવા જવા માટે ડેઇલી ટ્રેનની સુવિધા મળે તે માટે થઈને ભુજ અમદાવાદ વાયા મોરબી ટ્રેન શરૂ કરવાની માંગ કરી છે ઉલ્લેખનીય છે કે મોરબી વાંકાનેર વચ્ચે ચાલતી ડેમો ટ્રેનના ભાડામાં ઘટાડો કરવામાં આવે તેમજ ગાંધીધામ કામખીયા ટ્રેન જે વિકલી ટ્રેન મોરબીમાંથી પસાર થાય છે તેને નજરબાગ રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ ભુજ બાંદ્રા અઠવાડિયામાં બે દિવસ મોરબી થઈને ચલાવવામાં આવે તો મોરબીના લોકોને મુસાફરીમાં અને ભાડામાં મોટી રાહત થાય તેમ છે જેથી આ ટ્રેન વહેલા વહેલી તકે શરૂ કરવામાં આવે તે જરૂરી છે જો કે, રેલ્વે આ રજૂઆતને કાયરે ધ્યાને લેશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News