ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીથી ભુજ અમદાવાદ ડેઇલી ટ્રેન દોડાવવા ડીઆરએમને રજૂઆત


SHARE













મોરબીથી ભુજ અમદાવાદ ડેઇલી ટ્રેન દોડાવવા ડીઆરએમને રજૂઆત

મોરબીથી સીધી લાંબા અંતરની કોઈ ડેઇલી ટ્રેન પસાર થતી ન હોવાથી હાલમાં ભાજપના આગેવાન દ્વારા ડીઆરએમને લેખિત રજૂઆત કરીને ભુજ અમદાવાદ ડેઇલી ટ્રેન વાયા મોરબી થઈને ચલાવવા માટે થઈને માંગણી કરેલ છે જો આ ટ્રેન શરૂ કરવામાં આવે તો મુસાફરોને મુસાફરીમાં અને ભાડામાં ઘણો ફાયદો થાય તેમ છે જેથી કરીને વહેલી તકે આ ટ્રેન શરૂ કરાવવા માટે થઈને માંગણી અને લાગણી વ્યક્ત કરવામાં આવી છે

મોરબીની આસપાસના વિસ્તારમાં વિશ્વ કક્ષાનો સીરામીક ઉદ્યોગ આવેલ છે તે ઉપરાંત નાના-મોટા અનેક કારખાનાઓ અને ખેતીવાડીમાં રોજગારી મેળવવા માટે થઈને રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી અને બીજા રાજ્યોમાંથી અનેક શ્રમિકો મોરબી આવતા હોય છે જોકે તેઓને આવવા જવા માટે થઈને ખાનગી ટ્રાવેલ્સ બસમાં મુસાફરી કરવી પડે તેના કારણે વધુ ભાડા ચૂકવવા પડે છે અને તેઓની સલામતીનો પણ પ્રશ્ન ઊભો થતો હોય છે જેથી કરીને ભુજ અમદાવાદ વાયા મોરબી થઈને ડેઇલી ટ્રેન શરૂ કરવા માટે હાલમાં મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને મોરબી જિલ્લા રેલવે સલાહકાર સમિતિના સભ્ય સુરેશભાઈ શિરોહીયા દ્વારા ડીઆરએમને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને મોરબીના લોકોને અમદાવાદ આવવા જવા માટે ડેઇલી ટ્રેનની સુવિધા મળે તે માટે થઈને ભુજ અમદાવાદ વાયા મોરબી ટ્રેન શરૂ કરવાની માંગ કરી છે ઉલ્લેખનીય છે કે મોરબી વાંકાનેર વચ્ચે ચાલતી ડેમો ટ્રેનના ભાડામાં ઘટાડો કરવામાં આવે તેમજ ગાંધીધામ કામખીયા ટ્રેન જે વિકલી ટ્રેન મોરબીમાંથી પસાર થાય છે તેને નજરબાગ રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ ભુજ બાંદ્રા અઠવાડિયામાં બે દિવસ મોરબી થઈને ચલાવવામાં આવે તો મોરબીના લોકોને મુસાફરીમાં અને ભાડામાં મોટી રાહત થાય તેમ છે જેથી આ ટ્રેન વહેલા વહેલી તકે શરૂ કરવામાં આવે તે જરૂરી છે જો કે, રેલ્વે આ રજૂઆતને કાયરે ધ્યાને લેશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News