માળિયા (મી)ના વવાણીયા ગામે વિદ્યાર્થિનીઓ દ્વારા કન્યા શાળામાં આનંદ મેળા યોજાયો
મોરબીમાં કાલે પતંગની દોરથી ઘાયલ થયેલ પક્ષીની સારવાર માટે પાંચ સ્થળે કેમ્પની આયોજન
SHARE
મોરબીમાં કાલે પતંગની દોરથી ઘાયલ થયેલ પક્ષીની સારવાર માટે પાંચ સ્થળે કેમ્પની આયોજન
મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ થતાં પક્ષીઓ માટે પક્ષી બચાવો અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે અને જુદાજુદા પાંચ સેન્ટર ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે
ઉત્તરાયણમાં પતંગની દોરથી ઘાયલ થતાં પક્ષીઓ માટે મોરબીની જીવદયા પ્રવૃત્તિ કરતી સંસ્થા એટલે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીના વિવિધ વિસ્તારોમાં કેમ્પ કરી ઘાયલ પક્ષીઓ માટે સારવાર પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને સંસ્થાના સ્વયંસેવકો દ્વારા ઘાયલ પક્ષી જ્યાં હશે ત્યાંથી લઈ આવીને તેની સારવાર કરવામાં આવશે કાલે મોરબીમાં કેપિટલ માર્કેટ (રવાપર ચોકડી), બાપાસિતારામ ચોક (રવાપર રોડ), પંચાસર રોડ હનુમાન મંદિર સામે, નેહરુગેટ ચોક અને મહારાણા પ્રતાપ સર્કલ મોરબી-૨ ખાતે પક્ષીઓની સારવાર માટે કેમ્પ કરવામાં આવશે અને કોઈપણ જગ્યાએ કર્તવ્ય જીવદયા કેન્દ્રના સ્ટાફ દ્વારા ઘાયલ થયેલ પક્ષીની વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે અને તે અંગેની જાણ કરવા માટે સંસ્થા દ્વારા હેલપલાઈ નંબર ૭૫૭૪૮૮૫૭૪૭ અને ૭૫૭૪૮૬૮૮૮૬ જાહેર કરવામાં આવેલ છે ત્યાં ૨૪ કલાક ફોન કરીને ઘાયલ પક્ષીની માહિતી આપીને મોરબીના લોકો તે ઘાયલ પક્ષીને જીવદાન આપી શકે છે