મોરબીના વિરપર ગામે આજે રાતે રામા મંડળ, સોમવારે મહેન્દ્રનગર ગામે શ્યામ મહોત્સવ યોજાશે
મોરબી જીલ્લામાં વાસી મકરસંક્રાંતિની ઉજવણી માટે સોમવારે રજા જાહેર કરાઇ
SHARE
મોરબી જીલ્લામાં વાસી મકરસંક્રાંતિની ઉજવણી માટે સોમવારે રજા જાહેર કરાઇ
મકરસંક્રાંતિએ બાળકો અને શિક્ષકોને જલસા પડી જવાના છે કેમ કે મોરબી જીલ્લામાં શિક્ષણ સમિતિ હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓમાં સોમવારના દિવસે વાસી મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં માટે રજા જાહેર કરવામાં આવી છે અને તેનો પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે
મકરસંક્રાંતિએ નાના મોટા સૌ માટે અગત્યનો અને ઉલ્લાસથી ઉજવવાનો તહેવાર છે બાળકોથી માંડીને મોટા સૌ મકરસંક્રાંતિની સાથે સાથે મકરસંક્રાંતિ પછીનો વાસી ઉતરાયણનો દિવસ પણ ઉમંગભેર ઉજવતા હોય છે. શિક્ષણની જેમ ઉત્સવોનું પણ જીવનમાં અનેરુ મહત્વ હોય છે. એ વાતને ધ્યાને રાખીને આ વખતે મકરસંક્રાંતિ રવિવારના દિવસે હોય પછીનો સોમવારનો દિવસ ચાલુ દિવસ હોય વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો સારી રીતે તહેવારને માણી તેમજ ઉજવી શકે તે માટે જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતાબેન મહેતા દ્વારા તેમને ધી બોમ્બે પ્રાયમરી એજ્યુકેશન રૂલ્સ -૧૯૪૯, નિયમ-૧૨૫(૪),(૫) અન્વયે મળેલ સત્તાની રૂએ તા. ૧૫/૧/૨૦૨૪ ને સોમવારના રોજ મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓમાં પરિપત્ર કરી રજા જાહેર કરેલ છે