માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીના લખધીરનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીના લખધીરનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

મોરબીના લખધીરનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. જ્યાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ સરકારની યોજનાઓથી કોઈ વંચિત ન રહી જાય તે માટે સૌને શક્ય તમામ પ્રયાસ કરવા જણાવ્યું હતું. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ સરકારની આયુષ્માન કાર્ડ સહિતની યોજનાઓ આજે કેવી રીતે દરેક પરિવાર માટે આશીર્વાદ બની ગઈ છે તે બાબતે વિગતે વાત કરી હતી. પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સમણાને સાકાર કરવા આપણે પ્રતિબધ બનીએ એવા અનુરોધ સાથે 'આપણો સંકલ્પ વિકસિત ભારત'નો નારો બોલાવી લોકોને સહભાગી બનવા આહ્વાહન કર્યું હતું આ ઉપરાંત ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.






Latest News