વાંકાનેરના કણકોટ પાસે પ્રદૂષણ રોકવા સ્ટીલના કારખાનાની તમામ મંજૂરીઓ રદ્દ કરવા ગ્રામજનોની માંગ
મોરબીના લખધીરનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીના લખધીરનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો
મોરબીના લખધીરનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. જ્યાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ સરકારની યોજનાઓથી કોઈ વંચિત ન રહી જાય તે માટે સૌને શક્ય તમામ પ્રયાસ કરવા જણાવ્યું હતું. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ સરકારની આયુષ્માન કાર્ડ સહિતની યોજનાઓ આજે કેવી રીતે દરેક પરિવાર માટે આશીર્વાદ બની ગઈ છે તે બાબતે વિગતે વાત કરી હતી. પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સમણાને સાકાર કરવા આપણે પ્રતિબધ બનીએ એવા અનુરોધ સાથે 'આપણો સંકલ્પ વિકસિત ભારત'નો નારો બોલાવી લોકોને સહભાગી બનવા આહ્વાહન કર્યું હતું આ ઉપરાંત ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.