વાંકાનેરના અરણીટીંબા નજીક ખાનગી બસના ચાલકે હડફેટે લેતા ચાર વર્ષની બાળકીનું મોત
SHARE
વાંકાનેરના અરણીટીંબા નજીક ખાનગી બસના ચાલકે હડફેટે લેતા ચાર વર્ષની બાળકીનું મોત
વાંકાનેર તાલુકાના તીથવાથી અરણીટીંબા ગામ તરફ જવાના રસ્તા ઉપર યુવાન તેની ચાર વર્ષની દીકરી સાથે ઉભો હતો ત્યારે ખાનગી સ્કૂલ બસના ચાલકે તેની ચાર વર્ષની દીકરીને હડફેટે લીધી હતી. જેથી કરીને તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી જેથી તે ચાર વર્ષની બાળકીનું મોત નિપજયુ હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ બાળકીને પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ખાનગી સ્કૂલ બસમાં ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના તિથવા ગામે લાલશાનગર ખાતે રહેતા ઈમ્તિયાઝભાઈ દિલાવરભાઈ શાહમદાર જાતે ફકીર (૩૦) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખાનગી સ્કૂલ બસ નંબર જીજે ૩ ડીટી ૫૭૭૭ ના ચાલક અર્જુનસિંહ કાનભા જાડેજા રહે, કોટડાનયાણી તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદી તેની ચાર વર્ષની દીકરી સાનિયા સાથે તીથવાથી અરણીટીંબા ગામ તરફ જવાના રસ્તા ઉપર અરણીટીંબા ગામના તળાવ પાસે રોડ સાઇડમાં ઉભા હતા ત્યારે આરોપીએ તેના હવાલા વાળી ખનગી સ્કૂલ બસ રોડની સાઈડમાં નીચે ઉતારીને ફરિયાદીની દીકરીને હડફેટે લીધી હતી ત્યારે તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી સાનિયાનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ખાનગી સ્કૂલ બસનો ચાલક તેના હવાલા વાળી બસને ત્યાં જ મૂકીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે સ્કૂલ બસના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે