મોરબીમાં મારામારી કાંડમાં જેલમાં રહેલ રાણીબા તેમજ રાજ પટેલના જામીન મંજુર
મોરબીના અદેપર ગામના મંદિરમાં ધારાસભ્ય દ્વારા સફાઇ અભિયાન
SHARE
મોરબીના અદેપર ગામના મંદિરમાં ધારાસભ્ય દ્વારા સફાઇ અભિયાન
મોરબી જિલ્લાના અદેપર ગામે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ શ્રમદાનકયું હતું અને અદેપર ગામે આવેલ મંદિરની સફાઇ કરી હતી આગામી તા 22 ના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે. જે અંતર્ગત મોરબી જીલ્લામાં વિવિધ ધાર્મિક સ્થાન અને આસપાસના રસ્તાઓની સાફ સફાઇ કરવામાં આવી રહી છે ત્યારે ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ સુત્રને સાર્થક કરતા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે મોરબીના અદેપર ગામના મંદિરમાં ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સફાઇ અભિયાનમાં ધારાસભ્ય સાથે ગ્રામજનો પણ જોડાયા હતા. મોરબીના અદેપર ગામના મંદિરમાં સાફ સફાઈ કરીને મંદીર પરીસરને સ્વચ્છ અને સુઘડ બનાવવામા આવ્યુ હતુ.