વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિરે ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન
SHARE
વાંકાનેરના ફળેશ્વર મહાદેવ મંદિરે ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન
અયોધ્યામાં ભગવાન રાઘવના આગમનને સ્વચ્છતા સાથે વધાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આહ્વાન કર્યું છે ત્યારે દેશના જુદાજુદા મંદિરોમાં સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે અને દેશભરમાં મંદિર પરિસરોની સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે 'સ્વચ્છતા અભિયાન' અંતર્ગત વાંકાનેર લોક લાડીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની હાજરીમાં ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો દ્વારા ફળેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સફાઈ કરવામાં આવી હતી ત્યારે ધારાસભ્યએ પણ હાથમાં સાવરણો લઈને સફાઈ કરી હતી તે વેળાની તસ્વીરો