મોરબીના રફાળેશ્વર ગામે ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવનારાઓને ગોડાઉન ભાડે આપનારની ધરપકડ
મોરબી જીલ્લામાં ઝડપાયેલા નકલી ટોલનાકામાં કોણ કોણ હતું સામેલ હવે થશે ખૂલાશો: ત્રણ આરોપીના રીમાંડ મંજૂર
SHARE
મોરબી જીલ્લામાં ઝડપાયેલા નકલી ટોલનાકામાં કોણ કોણ હતું સામેલ હવે થશે ખૂલાશો: ત્રણ આરોપીના રીમાંડ મંજૂર
મોરબી જીલ્લામાં ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા. જેની ફરિયાદ આધારે પોલીસે ત્રણ આરોપીને પકડ્યા હતા અને આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી આરોપીઓ આટલા દિવસ દરમ્યાન ક્યાં રોકાયા હતા અને કેટલા સમયથી ટોલનાકા ચાલુ હતા તે સહિતની બાબતોની તપાસ કરવામાં આવશે
વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં આવતા હતા તેવી જ રીતે વઘાસીયા ગામ પાસેથી પણ વાહનોને ગેરકાયદે ઉઘરાણા કરીને પસાર કરવા દેવામાં આવતા હતા જે અંગેની ગત તા ૪ ડિસેમ્બરના રોજ વાંકાનેર વાઈટ હાઉસ કારખાનાના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, વઘાસિયા ગામના માજી સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત કુલ મળીને ૬ શખ્સોની સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધવામાં આવી હતી જે ગુનામાં આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદ વાંકાનેર સિટી પોલીસ દ્વારા આ ગુનામાં ભાજપના આગેવાન ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, તેના ભાઈ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી અને આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ હતા અને હવે કેટલા દિવસથી બોગસ ટોલનાકા ચાલુ હતા ? કોણ કોણ તેમાં સામેલ હતું ? કોણ ઉઘરાણા કરવા માટે બેસતા હતા ?, ખરેખર કેટલા રૂપિયા લેવામાં આવતા હતા ? તે સહિતની બાબતો સામે આવે તેવી શક્યતા છે
યુવાનનું મોત
મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ ગામ પાસે કેરાબિટ વિટ્રીફાઈડ નામના કારખાનામાં રહેતા હુલનભાઈ દુખીભાઈ ઠાકોર (૩૧) નામના યુવાનનું કોઈ બીમારી સબબ મોત નીપજયું હતું જેથી કરીને મૃતકના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં બનાવની મોરબી તાલુકા પોલીસને જણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ જે.પી. પટેલ ચલાવી રહ્યા છે
મારા મારીમાં ઇજા
મોરબીના માધાપર જાપા પાસે અંબિકા રોડ ઉપર રહેતા સંજય ગિરધરભાઈ (૨૭) નામના યુવાનને મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ ઉંદરડી માતાજીના મંદિર નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે