મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં વાળીનાથ શિવયાત્રાની પધરામણી: ભવ્ય શોભાયાત્રા યોજાઈ


SHARE







મોરબીમાં વાળીનાથ શિવયાત્રાની પધરામણી: ભવ્ય શોભાયાત્રા યોજાઈ

મહેસાણા જીલ્લાના વિસનગર નજીક આવેલ તરભ ખાતે વાળીનાથ મહાદેવના દિવ્ય દરબારમાં નિર્માણ પામેલ શિવધામમાં પ્રસ્થાપિત થનાર અતિપાવન મહાશિવલિંગના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આગામી ફેબ્રુઆરી મહિનામાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા બે થી ત્રણ મહિના જેટલા સમયથી વાળીનાથ મંદિરના મહંત જયરામગીરી બાપુની નિશ્રામાં નૂતન શિવાલયમાં પ્રસ્થાપિત થનાર પાવન કલ્યાણકારી મહાશિવલિંગનું ગુજરાતના શહેરોમાં પરિભ્રમણ થઈ રહ્યું છે. દરમ્યાન આ યાત્રા મોરબી પહોંચી હતી ત્યારે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ દ્વારા આ શિવયાત્રાનું સ્વાગત કરીને ભવ્ય શોભાયાત્રા અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાલપરથી મકનસર સુધી અનેક ગાડીઓના કાફલા સાથે શોભાયાત્રા નીકળી હતી અને તેમાં મચ્છુકાંઠા રબારી સમાજનાં લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મકનસર ખાતે વાળીનાથ અખાડાના કોઠારી દશરથગીરીબાપુની નિશ્રામાં ધર્મસભા યોજાઈ હતી ત્યારબાદ અતિ પાવનકારી મહાશિવલિંગ ઉપર ૨૧ જેટલા યજમાનો દ્વારા રૂદ્રાભિષેક કરવામાં આવ્યો હતો અને શિવલિંગની મહાઆરતી કરવામાં આવી હતી.






Latest News