મોરબીના લાલપર પાસે બાઇકને આઇસર ટ્રકના ચાલકે હડફેટ લેતા યુવાનનું મોત
મોરબીના ખારીવાડી વિસ્તારમાં રથયાત્રા, મહાઆરતી અને શોભાયાત્રાનું આયોજન
SHARE
મોરબીના ખારીવાડી વિસ્તારમાં રથયાત્રા, મહાઆરતી અને શોભાયાત્રાનું આયોજન
મોરબી ખારીવાળી વિસ્તાર વોર્ડ નં-૧૧ માં વાવડી રોડ સ્થિત ભીડભંજન હનુમાનજીના મંદિરે તા. ૨૨ મીએ શ્રીરામ ભગવાન રથયાત્રા, ધ્વજારોહણ,૧૦૦૮ દીવડાની મહા આરતી, ખારીવાડી વિસ્તારનું સમૂહ ભોજન, તેમજ એલઇડી સ્ક્રીન ઉપર અયોધ્યા શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે અને તે દિવસે મહા આરતી બાદ બપોરે ૧૨:૦૦ વાગ્યે અને સમૂહ ભોજન સાંજે ૬:૦૦ વાગ્યે આખો દિવસ દરમિયાન રામધૂન યોજાશે ત્યારે આ ધાર્મિક ઉત્સવમાં ભગવાનના વેશભૂષા કરી ધાર્મિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે, ત્યારે આ ધાર્મિક ઉત્સવમાં ખારીવાળી વિસ્તારના સર્વ ધર્મપ્રેમી જનતાને સહભાગી થવા આમંત્રણ અપાયું છે તેવું પ્રમુખ માવજીભાઈ કંઝારીયા અને તેમની ટીમે માહિતી આપેલ છે