મોરબીના ખારીવાડી વિસ્તારમાં રથયાત્રા, મહાઆરતી અને શોભાયાત્રાનું આયોજન
મોરબીમાં માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ તેમજ સંતવાણીનું આયોજન
SHARE
મોરબીમાં માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ તેમજ સંતવાણીનું આયોજન
મોરબી શહેરના માધાપર વિસ્તારમાં આવેલ રામજી મંદિર ખાતે માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા અયોધ્યામાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે તેની સાથોસાથ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ તેમજ સંતવાણીનું આયોજન કરેલ છે જેનો લાભ લેવા માટે થઈને ધર્મપ્રેમી લોકોને માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે
આગામી તા.૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે ત્યારે આ ઘડીને યાદગાર બનાવવા માટે જુદી જુદી જગ્યાઓ પર કાર્યક્રમ યોજાઇ રહ્યા છે ત્યારે મોરબીના માધાપર વિસ્તારમાં આવેલ ૧૩૫ વર્ષ જૂના રામજી મંદિર ખાતે પણ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે અને હાલમાં આયોજકો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે તા. ૨૨ ના રોજ સવારે ૯:૩૦ કલાકે રામચંદ્રજી મહારાજની શોભાયાત્રા રામજી મંદિર ચોકથી પ્રસ્થાન કરશે અને ત્યારબાદ ૧૨:૦૦ વાગ્યે રામજી મંદિર ખાતે મહા આરતી અને ૧૨:૩૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જોકે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પૂર્વ સંધ્યાએ એટલે કે તા. ૨૧ ના રોજ રાત્રે ૯:૩૦ કલાકે માધાપર વિસ્તારમાં સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભજનીક હર્ષ મારું, અનિલ પરમાર, વિજય ડાભી અને જીગ્નેશ જાદવ સહિતના કલાકારો જમાવટ કરશે જેથી આ ધાર્મિક કાર્યક્રમ અને સંતવાણીના કાર્યક્રમનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે થઈને માધાપર આનંદ ઉત્સવ સમિતિ દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે