અયોધ્યા ઇફેક્ટ: મોરબીમાં સોમવારે તમામ આંગડીયા પેઢી બંધ
SHARE
અયોધ્યા ઇફેક્ટ: મોરબીમાં સોમવારે તમામ આંગડીયા પેઢી બંધ
અયોધ્યામાં સોમવારે તા. ૨૨ જાન્યુઆરીના રોજ રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ત્યારે મોરબીમાં આવેલ તમામ આંગડીયા પેઢીઓ બંધ રાખવાનો તેઓના એસો. દ્વારા નિર્ણય લેવાં આવેલ છે
સોમવારની ઐતિહાસિક ઘડીને યાદગાર બનાવવા માટેના જુદાજુદા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તેમજ સરકાર કચેરીમાં પણ અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે ત્યારે મોરબી આંગડીયા એસો. દ્વારા તા. ૨૨ ને સોમવારના રોજ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાને રાખીને મોરબીની તમામ આંગડીયા પેઢીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે