મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા દ્વિતિય સર્વ જ્ઞાતિય સમૂહલગ્નોત્સવ યોજાયા
SHARE
મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા દ્વિતિય સર્વ જ્ઞાતિય સમૂહલગ્નોત્સવ યોજાયા
મોરબીની અનસ્ટોપેબલ વોરીયર્સ એનજીઓ દ્વારા અનેક વિધ સેવાકીય કામ કરવામાં આવે છે તેવામાં મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલા રામેશ્વર ફાર્મ ખાતે આ એનજીઓ દ્વારા દ્વિતિય સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૧ નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ત્યારે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, નકલંક મંદિર બગથળાના મહંત દામજી ભગત, અધિકારી ગિરિશભાઈ સરૈયા, નિવૃત ફૌજીઓએ સહિતના હાજર રહ્યા હતા જો કે, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા હાજર ન રહી શકતા તેઓએ કાર્યક્રમ અને આયોજન માટે આયોજકોને શુભકામના આપી હતી અને આ સમૂહલગ્ન માટે અનેક દાતાઓએ આર્થિક સહકાર આપેલ છે આ તકે ધારાસભ્ય તરફથી દરેક નવદંપતિઓને ઘડિયાળ અને એનજીઓ તરફથી ભગવદ ગીતા ખાસ ભેટ આપી હતી અને ત્યાં સંસ્કાર બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સમૂહલગ્નમાં દાતાઓ અને મોરબીના પત્રકારોનું સન્માન કરાયું હતું. અત્રે ઉલેખનીય છે કે, અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલનો જન્મદિવસ હતો તે દિવસે જ આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સુચારુ સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.









