મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના ચંદ્રગઢમાં બીમારીથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE













હળવદના ચંદ્રગઢમાં બીમારીથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું

હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે રહેતા યુવાનને છેલ્લા દોઢ વર્ષથી પેરાલીસીસની અસર થઈ ગયેલ હતી જેથી કરીને શારીરિક તકલીફ અને બીમારીથી કંટાળીને યુવાને પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની મૃતકના નાના ભાઈએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે રહેતા કિશોરભાઈ રણછોડભાઈ કટકિયા જાદવ જાતે દલવાડી (૩૫)એ પોતે પોતાની જાતે ઘરે હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજયુ હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના નાના ભાઈ અનિલભાઈ રણછોડભાઈ કટકીયા જાદવ જાતે દલવાડી (૨૮)એ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મળતી માહિતી મુજબ કિશોરભાઈને છેલ્લા દોઢ વર્ષથી પેરાલીસીસની અસર હતી અને તે કંઈ બોલી શકતા ન હતા જેથી બીમારીથી પીડાતા હોય તેઓએ પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજયું હતું તેવું તેના પરિવારજન દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

મોરબીમાં સોની બજારમાંથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે અર્જુનસિંહ હરીસિંહ રાઠોડ જાતે રાજપૂત (૨૭) રહે. લીલાપર રોડ પાંજરાપોળ પાછળ ખડીયાવાસ મોરબી વાળાની ધરપકડ કરીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે






Latest News