મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના ચંદ્રગઢમાં બીમારીથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE







હળવદના ચંદ્રગઢમાં બીમારીથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું

હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે રહેતા યુવાનને છેલ્લા દોઢ વર્ષથી પેરાલીસીસની અસર થઈ ગયેલ હતી જેથી કરીને શારીરિક તકલીફ અને બીમારીથી કંટાળીને યુવાને પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવની મૃતકના નાના ભાઈએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે રહેતા કિશોરભાઈ રણછોડભાઈ કટકિયા જાદવ જાતે દલવાડી (૩૫)એ પોતે પોતાની જાતે ઘરે હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજયુ હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના નાના ભાઈ અનિલભાઈ રણછોડભાઈ કટકીયા જાદવ જાતે દલવાડી (૨૮)એ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મળતી માહિતી મુજબ કિશોરભાઈને છેલ્લા દોઢ વર્ષથી પેરાલીસીસની અસર હતી અને તે કંઈ બોલી શકતા ન હતા જેથી બીમારીથી પીડાતા હોય તેઓએ પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજયું હતું તેવું તેના પરિવારજન દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

મોરબીમાં સોની બજારમાંથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે અર્જુનસિંહ હરીસિંહ રાઠોડ જાતે રાજપૂત (૨૭) રહે. લીલાપર રોડ પાંજરાપોળ પાછળ ખડીયાવાસ મોરબી વાળાની ધરપકડ કરીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે






Latest News