મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીના શરતી રેગ્યુલર જામીન મંજૂર


SHARE









હળવદ તાલુકાના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીના શરતી રેગ્યુલર જામીન મંજૂર

હળવદ તાલુકા પોલીસ સ્ટેશમાં નોંધાયેલા અપહરણ અને પોકસોના ગુનામાં પકડાયેલા આરોપીએ રેગ્યુલર જામીન માટે એડવોકેટ મારફતે કોર્ટમાં અરજી કરી હતી જેમાં એડવોકેટ દ્વારા કરવામાં આવેલ દલીલ અને જુદીજુદી કોર્ટના ચુકાદાને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે

આ કેસની ટૂંકી વિગત આપતા વકીલે જણાવ્યુ હતું કે, હળવદ પોલીસે આરોપી કલ્પેશભાઈ રમશેભાઈ નાયક રહે. અણીયાદ બીલીયા બેડા ફળીયુ તાલુકો શહેરા જિલ્લો પંજાબ વાળા ની આઇપીસી કલમ ૩૬૩, ૩૭૬ (૩), ૧૧૪, ૩૭૬ (૨) (જે) (એન), તથા પોકસો એકટ ની કલમ ૪, ૫ (એલ), , ૧૭ મુજબ ના ગુન્હાના કામે ધરપકડ કરી હતી અને આરોપીને મોરબીની સેશન્સ કોર્ટમાં રજુ કરીને ત્યારથી જયુડી. કસ્ટડીમાં જેલ હવાલે કરેલ હતો અને ત્યારબાદ ચાર્જશીટ રજુ થતા જેના પોકસો કેશ નં. ૧/૨૪ થી સ્પે. પોકસો કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયેલ છે ત્યારબાદ જામીન અરજી કરતા આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશની ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ સમક્ષ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીનની અરજી કરી હતી જેમાં એડવોકેટ મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા)એ સુપ્રીમ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ કરી હતી તેને ધ્યાને લઈને જજ ડી.પી. મહીડા સાહેબ એ આરોપી કલ્પેશભાઈ રમશેભાઈ નાયકને ૨૫,૦૦૦ ના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપીના એડવોકેટ તરીકે મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા મેનાજબેન પરમાર રોકાયેલ હતા






Latest News