મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં કલેક્ટરની હાજરીમાં ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં સીવણની તાલીમ પૂર્ણ કરનારા ૨૨ બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા
SHARE
મોરબીમાં સીવણની તાલીમ પૂર્ણ કરનારા ૨૨ બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા
R.S S. પ્રેરિત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ દ્વારા મોરબી જીલ્લામાં વિવિધ વિસ્તારોમાં સેવા પ્રકલ્પો ચલાવવામાં આવે છે જેમાં મોરબી શહેરમાં વીસીપરા વિસ્તારમાં આવેલા આંબેડરનગરમાં સ્વાવલંનની દૃષ્ટિએ મહિલા રોજગારમાં આગળ વધે, સ્વ નિર્ભર બને તે હેતુથી ટ્રસ્ટ દ્વારા સીવણ કેન્દ્ર છેલ્લા બે વર્ષથી નિયમિત રીતે ચલાવવામાં આવે છે. સમગ્ર વર્ષમાં કુલ ૩ તાલીમી બેન્ચ દ્વારા બહેનોને સીવણ કામ શીખવવામાં આવે છે. અને તાલીમ પૂર્ણ કરેલ ૨૨ બહેનોને તાલીમ પૂર્ણ કર્યા અંગેના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ડૉ. હેડગેવાર સ્મારક સમિતિના મંત્રી વિપુલભાઈ અઘારા, ડો.જ્યદીપભાઈ કંઝારિયા, પારસભાઈ વોરા, લાલજીભાઈ કુનપરા, હરિભાઈ સરડવા, પ્રણજીવનભાઈ વિડજા,જેઠાભાઈ કવૈયા,વિનુભાઈ શુક્લ તેમજ કેન્દ્ર સંચાલક આરતીબેન ઉપસ્થિત રહ્યા હતા.









