મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા યુવાનને હોટલ-ફાસ્ટફૂડના ધંધામાં ખોટ જતાં દેણું વધી જતાં ઘર છોડીને ચાલ્યો ગયો હોવાનું ખૂલ્યું


SHARE







મોરબીમાં રહેતા યુવાનને હોટલ-ફાસ્ટફૂડના ધંધામાં ખોટ જતાં દેણું વધી જતાં ઘર છોડીને ચાલ્યો ગયો હોવાનું ખૂલ્યું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગોપાલ સોસાયટી પાસે પૂજા બેકરીની પાછળના ભાગમાં રહેતો યુવાન પોતાના ઘરેથી સિરામિક કારખાને જવાનું કહીને નીકળ્યો હતો અને ત્યારબાદ તે ગુમ થઈ ગયેલ હતો જેથી તેની માતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી તેવામાં યુવાન હાલમાં પરત આવી ગયેલ છે અને તેને હોટલ તેમજ ફાસ્ટફૂડના ધંધામાં ખોટ ગયેલ હોવાથી તેના ઉપર દેવું વધી જતાં તેને ઘર છોડીને ચાલ્યો ગયો હોવાનું સામે આવ્યું છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગોપાલ સોસાયટી પૂજા બેકરીની પાછળના ભાગમાં રહેતા ગીતાબેન બીપીનભાઈ કણસાગરા જાતે પટેલ (૫૧) એ થોડા દિવસો પહેલા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેનો દિકરો જીનલભાઈ બીપીનભાઈ કણસાગરા જાતે પટેલ (૩૨) ગુમ થયો હોવા અંગેની ફરિયાદ આપેલ હતી જેમાં તેણે જણાવ્યુ હતું કે, ગત તા. ૬/૧/૨૪ ના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં તે પોતાના ઘરેથી ઊંચી માંડલ ગામે આવેલ મેગા સિરામિક કારખાને કામે જવાના બહાને નીકળ્યો હતો અને ત્યારબાદ તે ઘરે પરત આવેલ ન હતો જેથી ગુમ થયેલા યુવાનની માતાએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે ગુમ થયેલા યુવાને શોધવા માટે થઈને કવાયત શરૂ કરી હતી તેવામાં હાલમાં જીનલભાઈ બીપીનભાઈ કણસાગરા જાતે ઘરે પરત આવી ગયેલ છે જેની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી છે.

વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જીનલભાઈ બીપીનભાઈ કણસાગરાએ અગાઉ ચોટીલા પાસે એન્જોય હોટલ ભાડે રાખી હતી જેમાં ખોટ આવી હતી ત્યાર બાદ તેને મોરબીમાં ઉમિયાજી ફાસ્ટફૂડ શરૂ કર્યું હતું તે ધંધામાં પણ ખોટ આવી હતી જેથી કરીને તેના ઉપર દેણું વધી ગયું હતું જેથી તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને છેલ્લા દિવસોમાં તે અમદાવાદ, મહેસાણા, ઉજજેન મુંબઈ ગયો હતો જો કે તેની પાસે રહેલા રૂપિયા પૂરા થઈ જતાં તે તેની જાતે જ પાછો આવી ગયો છે.






Latest News