મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જયંતીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી સહિતના હાજર રહેશે


SHARE













ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જયંતીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી સહિતના હાજર રહેશે

મોરબી જિલ્લાના ટંકારાના મહર્ષિ દયાનંદ સરસ્વતીજી કે જેમને દેશ અને દુનિયામાં આઝાદીના ઉદઘોષક, સ્ત્રી ઉદ્ધારક, વેદ ઉદ્વારક, વેદ તરફ પાછા વળો સૂત્રના જનક, પ્રાચીન જીવનશૈલીના પુનઃસ્થાપક તરીકે લોકો જાણે છે ત્યારે ટંકારાના પનોતા પુત્ર મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જયંતીનું ભવ્ય ઉજવણી કરવામાં આવશે ત્યારે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી  સહિતના રાજકીય આગેવાનો સહિતના આર્ય સમાજની સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં હાજર રહેશે

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મ સ્થળ એટલે કે, ટંકારામાં આગામી તા ૧૦ થી ૧૨ સુધી ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમ યોજવાનો છે જેના માટે હાલમાં ટંકારા ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારાની બાજુમાં મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ- ટંકારા અને સ્થાનિય વ્યવસ્થાપક સમિતિ- ટંકારા દ્વારા મંડપ, યજ્ઞ શાળા અને સભા મંડપ તેમજ ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના રાજકીય આગેવાનો તેમજ આર્ય સમાજની સાથે જોડાયેલા અને મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની વિચાર ધારાને વરેલા લોકો મોટી સંખ્યામાં હાજર રહેશે






Latest News