મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જયંતીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી સહિતના હાજર રહેશે


SHARE









ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જયંતીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી સહિતના હાજર રહેશે

મોરબી જિલ્લાના ટંકારાના મહર્ષિ દયાનંદ સરસ્વતીજી કે જેમને દેશ અને દુનિયામાં આઝાદીના ઉદઘોષક, સ્ત્રી ઉદ્ધારક, વેદ ઉદ્વારક, વેદ તરફ પાછા વળો સૂત્રના જનક, પ્રાચીન જીવનશૈલીના પુનઃસ્થાપક તરીકે લોકો જાણે છે ત્યારે ટંકારાના પનોતા પુત્ર મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જયંતીનું ભવ્ય ઉજવણી કરવામાં આવશે ત્યારે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી  સહિતના રાજકીય આગેવાનો સહિતના આર્ય સમાજની સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં હાજર રહેશે

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મ સ્થળ એટલે કે, ટંકારામાં આગામી તા ૧૦ થી ૧૨ સુધી ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમ યોજવાનો છે જેના માટે હાલમાં ટંકારા ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારાની બાજુમાં મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ- ટંકારા અને સ્થાનિય વ્યવસ્થાપક સમિતિ- ટંકારા દ્વારા મંડપ, યજ્ઞ શાળા અને સભા મંડપ તેમજ ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના રાજકીય આગેવાનો તેમજ આર્ય સમાજની સાથે જોડાયેલા અને મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની વિચાર ધારાને વરેલા લોકો મોટી સંખ્યામાં હાજર રહેશે






Latest News