મોરબીની જનતા ક્લાસીસનું એમકોમ, બીકોમ અને બીબીએમાં ઉત્તમ પરિણામ
મોરબીની સરકારી શાળાના શિક્ષક અશોકભાઇ કાંજીયાએ મેળવ્યો ચિત્રકુટ એવોર્ડ
SHARE
મોરબીની સરકારી શાળાના શિક્ષક અશોકભાઇ કાંજીયાએ મેળવ્યો ચિત્રકુટ એવોર્ડ
ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે આવેલ ‘ચિત્રકૂટધામ’માં મોરારીબાપુ દર વર્ષે શિક્ષણમાં નાવીન્ય અને વિશેષ કામગીરી કરતા શિક્ષકોને ચિત્રકુટ એવોર્ડથી નવાજવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાતના કુલ ૩૫ શિક્ષકોનો એવોર્ડ આપવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લામાંથી નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક અશોકભાઈ મહાદેવભાઈ કાંજીયાનો પણ સમાવેશ કરવામાં આવેલ છે તેમને મોરારીબાપુના વરદહસ્તે પ્રશસ્તિપત્ર, રામનામની સાલ, સુત્રમાલા, સચિત્રસુંદરકાંડ અને ૨૫,૦૦૦ રૂપિયાનો ચેક તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અધેવાડા આશ્રમના મહંત સીતારામબાપુ, ગુજરાતના રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મહુવાના ધારાસભ્ય, ભાવનગર જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક જિલ્લા શિક્ષણાધિકારી, રાજ્ય શિક્ષકસંઘના પ્રમુખ દિગ્વીજયસિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ, રાજ્ય અને વિવિધ જિલ્લા સંઘના હોદેદારો, એવોર્ડી શિક્ષક સહિતના લોકો હાજર હતા