ટંકારાના નસીતપર ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત
SHARE
ટંકારાના નસીતપર ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત
ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતા વૃદ્ધાએ કોઈ કારણોસર ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જોકે, સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતા હીરાબેન કરમશીભાઈ અંદરપા જાતે પટેલ (૫૭)એ કોઈ કારણોસર પોતે પોતાની જાતે ઘરે હતા ત્યારે ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી ગયા હતા જેથી તેઓને પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે તેને રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જોકે, ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના આઇ.ટી. જામ ચલાવી રહ્યા છે
યુવાન સારવારમાં
માળીયા મીયાણા નજીક હાઇવે રોડ પાસેથી અજાણ્યા ૨૫ વર્ષના યુવાનને સારવાર માટે પ્રથમ માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાથી વધુ સારવાર માટે ૧૦૮ મારફતે યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી જોકે, બનાવ માળીયા મીયાણા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત શરૂ કરી છે